Gujarat News: લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. 2024ની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે. આજે અમદાવાદમાં મેમનગર વિસ્તારના ગુરૂકુળ રોડ પર આવેલા ભીડભંજન હનુમાનના દર્શન કરી પ્રચારનો પ્રારંભ કરશે.
CAA લાગૂ થયા બાદ કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે. કેન્દ્રીય મંત્રીએ ગુરૂવારે અમદાવાદમાં રૂપિયા 3 હજાર કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. આગામી એક- બે દિવસોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ધારાસભ્યો અને કાર્યકરો પણ હાજર રહેશે.
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો