Home Minister Amit Shah: કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વે અમદાવાદ આવતા હોય છે તે ફરી એકવાર આવતીકાલે અમદાવાદના પ્રવાસે આવવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેએ વેજલપુરના કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે. ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે અમિત શાહ અચૂક અમદાવાદ આવતા હોય છે. અઙિયા તેઓ પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 14 જાન્યુઆરીએ વેજલપુરમાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. ત્યારે 15 જાન્યુઆરીએ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે.આ ઉપરાંતમોટી આદરજ ગામમાં સહકારી કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે અમિત શાહ (Home Minister Amit Shah) દર વર્ષે ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણનો પર્વ મનાવશે અને પરંપરા મુજબ આ વર્ષે પણ અમદાવાદના જગન્નાથ મંદિરમાં 14મી જાન્યુઆરીએ પૂજા અર્ચના કરશે.
નોંધનીય છે કે અમિત શાહ( Home Minister Amit Shah) જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે રાજકીય હલચલ વધી જાય છે. ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ગાંધીનગરમાં નેતાઓ અને કાર્યકરોમાં એક હલચલ વધી જાય છે.