Crime/ ભારતમાં ઝડપાયું અણુ બોમ્બમાં વપરાતું ગેરકાયદેસર યુરેનિયમ, પાકિસ્તાનને ઉઠાવ્યા સવાલ

મુંબઇ શહેરમાં ગુરુવારે સાત કિલોગ્રામ ગેરકાયદેસર યુરેનિયમ મળી આવવાના સમાચારથી પાકિસ્તાનમાં ચિંતાનો માહોલ છવાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે.

Top Stories India
bhavsinh rathod 1 ભારતમાં ઝડપાયું અણુ બોમ્બમાં વપરાતું ગેરકાયદેસર યુરેનિયમ, પાકિસ્તાનને ઉઠાવ્યા સવાલ

મુંબઇ શહેરમાં ગુરુવારે સાત કિલોગ્રામ ગેરકાયદેસર યુરેનિયમ મળી આવવાના સમાચારથી પાકિસ્તાનમાં ચિંતાનો માહોલ છવાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ એક નિવેદનમાં કહ્યું છે કે પરમાણુ વસ્તુઓની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ.

જાહિદ હાફિઝ ચૌધરીએ શનિવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ‘એવા અહેવાલો છે કે ભારતમાં અનધિકૃત લોકો પાસેથી 7 કિલો કુદરતી યુરેનિયમ મળી આવ્યું છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. કોઈપણ દેશ માટે તેના પરમાણુ વસ્તુઓની સલામતી સૌથી મહત્વપૂર્ણ હોવી જોઈએ. આ મામલાની યોગ્ય તપાસ થવાની જરૂર છે.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર એટીએસએ એક મોટી કાર્યવાહીમાં અણુ બોમ્બ બનાવતા યુરેનિયમ સાથે બે લોકોની  ધરપકડ કરી હતી. તેમની પાસેથી 7 કિલો યુરેનિયમ મળી આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 22 કરોડ છે. એટીએસના જણાવ્યા અનુસાર જીગર પંડ્યા અને અબુ તાહિર આ યુરેનિયમ વેચવાની તૈયારીમાં હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેની શુદ્ધતા 90 ટકાથી વધુ છે.

પાક વિદેશ મંત્રાલયે આ વાત કહી

પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પરમાણુ સામગ્રીની સલામતી અંગે  કાળજી લેવી જોઈએ. આવી બિન-સત્તાવાર રીતે યુરેનિયમ કેવી રીતે બહાર આવ્યું તેની ગંભીર તપાસ થવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ યુરેનિયમ ક્યાં તો ચોરી કરવામાં આવ્યું હતું અથવા ગેરકાયદેસર રીતે માઇન કરવામાં આવ્યું હતું. જોકે તે હાલમાં સંપૂર્ણ રીતે કાચો માલ હતો.

આંતરરાષ્ટ્રીય મંચ પર મુદ્દાઓ ઉભા થયા નથી

જોકે, પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી (આઈએઇએ) સાથે ઉઠાવ્યો નથી કારણ કે દેશ સુરક્ષા માટે જવાબદાર છે. તેથી, સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ સંસ્થામાં કોઈ દખલ નથી. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે આ મુદ્દા અંગે આઈ.એ.ઇ.એ.ને જાણ કરવી જોઈએ, કારણ કે આ યુરેનિયમની દાણચોરી પર પ્રતિબંધ લગાવેલા દેશોમાં તેની તસ્કરી થઇ શકે છે.