Not Set/ ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

ઉર્મિલા માતોંડકર કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. તેમણે આજે સવારે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને આ વિશે માહિતી આપી છે.

Top Stories Entertainment
ઉર્મિલા માતોંડકર

બોલિવૂડ અભિનેત્રી અને રાજકારણી ઉર્મિલા માતોંડકર કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. તેમણે આજે સવારે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને આ વિશે માહિતી આપી છે. તેમણે પોતાને ઘરે ક્વોરન્ટાઈન   છે. આ સાથે દિવાળીના અવસર પર દરેકને પોતાની કાળજી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

ઉર્મિલા માતોંડકર ટ્વિટ કર્યું, ‘હું કોરોના વાયરસ પોઝિટિવ થઈ ગઈ છું. હું ઠીક છું અને મેં મારી જાતને હોમ ક્વોરેન્ટાઇનમાં અલગ કરી દીધી છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તાત્કાલિક તપાસ કરાવવા વિનંતી છે.

અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી છે કે તેઓ દિવાળીના તહેવાર દરમિયાન પોતાનું ધ્યાન રાખે. તેણે લખ્યું, ‘તમારા બધા પ્રિય લોકોને દિવાળીના તહેવાર દરમિયાન તમારી સંભાળ રાખવાની નમ્ર વિનંતી.’

ઉર્મિલાના આ ટ્વિટ કરતાની સાથે જ ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ સિવાય ઉર્મિલાના ઈન્ડસ્ટ્રીના નજીકના લોકો પણ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. શનિવારે મુંબઈમાં કોરોનાના 301 કેસ નોંધાયા હતા. સમગ્ર શહેરમાં અત્યાર સુધીમાં 7,55,632 લોકો કોરોનાથી પીડિત છે. જેમાંથી 16,244ના મોત થયા છે. હાલમાં કોરોનાના 3,966 સક્રિય કેસ છે.

આ પણ વાંચો : હોટ શ્વેતા તિવારીની આ સ્ટાઈલ જોઈને તમારા ઊડી જશે હોશ, જુઓ બોલ્ડ અવતાર

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સેલેબ્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં પૂજા બેદી અને નિશા રાવલનું નામ સામેલ છે.

આ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વરુણ ધવન, સોનુ સૂદ, અર્જુન રામપાલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિકી કૌશલ, મલાઈકા અરોરા સહિત અન્ય ઘણા સ્ટાર્સ વાયરસથી સાજા થઈ ગયા છે.

આ પણ વાંચો :આર્યન ડ્રગ્સ કેસ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું – હું ભાગ્યશાળી છું કે મારા બાળકો સોનક્ષી અને લવ-કુશ…

આ પણ વાંચો :રાજકીય સન્માન સાથે આજે થશે પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર

આ પણ વાંચો :સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે, સલમાને રોહિત શેટ્ટીને આપ્યું વચન