વડોદરા,
સાવલી તાલુકાના પોઇચા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજનો જથ્થો ઓછો આપતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
બનાવના પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનાજની ઓનલાઈન પાવતી ડુપ્લીકેટ કાપતા હોવાનું અને લેપટોપમાંથી ગ્રાહકના નામે કાઢેલી પાવતીમાં 5 થી 10 કિલો અનાજ ઓછું આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.
ઓનલાઈન પાવતીમાં બતાવેલ જથ્થા કરતા દુકાનધારક દ્વારા કાઢેલ પાવતીમાં અનાજ ઓછું બતાવતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને પુરવઠા વિભાગને પણ જાણ કરી હતી.