Not Set/ જાણીતા પત્રકાર વિનોદ દુઆની સ્થિતિ ગંભીર ,ICUમાં દાખલ

જાણીતા પત્રકાર વિનોદ દુઆનું નિધન થયું છે.તેઓનું ગુડગાંવ સ્થિત હોસ્પિટલમાં નિધન થયું છે. વિનોદ દુઆની તબિયત લથડી હતી, જે બાદ તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા.

Top Stories India
વિનોદ દુઆ

જાણીતા પત્રકાર વિનોદ દુઆની તબિયત લથડી છે.  જે બાદ તેમને ICUમાં દાખલ કરવા પડ્યા છે. આ માહિતી તેમની પુત્રી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આપી છે. મલ્લિકા દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેના પિતાની હાલત નાજુક છે..

આ પહેલા તેમના નિધનના સમાચારોને લઇ અટકળો વહેતી થઇ હતી પરંતુ તેમની દીકરી મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, મારા પિતા હજુ પણ જીવે છે અને ફાઈટીંગ હજુ પણ શરુ છે. અફવા ન ફેલાવવા વિનંતી.

મલ્લિકા દુઆ

આપને જણાવી દઈએ કે, આ પહેલા વિનોદ દુઆ અને તેમની પત્ની ચિન્ના દુઆ કોરોના વાયરસના બીજા વેવ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ચિન્ના દુઆનું કોરોનાને કારણે મોત થયું હતું.

મલ્લિકા દુઆએ લખ્યું, “મારા પિતા ખૂબ જ બીમાર છે, અને ICUમાં છે. એપ્રિલ મહિનાથી તેમની તબિયત બગડી રહી છે. તેમને પીડા ન થવી જોઈએ. દરેક વ્યક્તિ તેમને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે તેઓ પીડાય તે માટે પ્રાર્થના કરો. ઓછામાં ઓછું.”

નોંધનીય છે કે, દૂરદર્શન અને NDTV જેવી સમાચાર ચેનલો માટે સેવા આપનાર અને હિન્દી પત્રકારત્વનો જાણીતો ચહેરો એવા 67 વર્ષીય વિનોદ દુઆની પત્ની પદ્માવતી ‘ચિન્ના’ દુઆનું જૂનમાં કોવિડ-19 સામે લાંબી લડાઈ લડ્યા બાદ અવસાન થયું હતું.