Entertainment News: એલ્વિશ યાદવે શુક્રવારે સ્નેક વેનમ કેસમાં જામીન મળી ગયા છે. તેના પરિવાર, મિત્રો ખૂબ જ ખુશ થયા છે. સોશિયલ મીડિયા પર એલ્વિશને જામીન મળવાથી તેના મિત્ર અનુરાગ ડોભાલે ખુશી સેલિબ્રેટ કરી છે. ત્યારે સોશિયલ મીડિયા સેન્સેનલ અંજલિ અરોરાએ પણ પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું અંજલિ અરોરાએ..
Hanji phr jeet schhai ki hi hui na ? #anjaliarora
— Anjali Arora🫶🏻 (@AnjaliArora1050) March 22, 2024
અંજલિએ ટ્વીટ કરતા કહ્યું કે, હા, જીત ફરીથી સત્યની જ થઈ છે ને? અંજલિની ટ્વીટ પર હજારો કમેન્ટસ આવવા લાગ્યા છે. કોઈએ કમેન્ટ કરતા કહ્યું કે તમે શરૂઆતથી જ એમની સાથે ઊભા રહ્યા છો. તમે એક સારા મિત્ર છો. અંજલિના ચાહકોનો આભાર, તેમને બહુ જ સપોર્ટ કર્યો છે. એલ્વિશના ચાહકોએ અંજલિને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે.
અગાઉ પણ એક પોડકાસ્ટમાં અંજલિને એલ્વિશની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું હતું. તો અંજલિએ જવાબ આપ્યો હતો કે મને નથી લાગતુ કે તે આવી કોઈ વસ્તુઓમાં સામેલ હશે. ખબર નહીં, કેવી રીતે આ બધામાં ફસાઈ ગયો. આ પહેલા પણ અંજલિએ એલ્વિશ યાદવને સપોર્ટ કર્યો હતો. એલ્વિશ અને મેક્સટર્ન વચ્ચે વિવાદ થયો હતો ત્યારે અંજલિએ એલ્વિશને સપોર્ટ કર્યો હતો.
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર
આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…