Not Set/ સુરેન્દ્રનગર જીલ્લામાં માવઠાના પગલે ઘઉં, જીરૂ અને ચણાના પાકને નુકશાન થયું

વાદળો ઘેરાતા સુર્યના દર્શન દુર્લભ થયા છે અને વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધ્યુ છે

Gujarat
Untitled 10 1 સુરેન્દ્રનગર જીલ્લામાં માવઠાના પગલે ઘઉં, જીરૂ અને ચણાના પાકને નુકશાન થયું

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમૌસમી વરસાદને કારણે જનજીવન અને ખેતીને માઠી અસર થઈ રહી છે ભર શિયાળે તેજ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં શિતલહેર છવાઈ જવાથી થરથર કંપાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો કપાસ, જીરૂ, સહીતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.

આ પણ વાંચો;પરીક્ષા મોકૂફ / સુરેન્દ્રનગરમાં માવઠાના પગલે પોલિસની ભરતી મોકૂફ રખાઇ,નવી તારીખ ટૂંકસમયમાં જાહેર થશે

સુરેન્દ્રનગર જિલ્લામા છેલ્લા બે દિવસથી કમૌસમી વરસાદી માહોલ છવાયો છે હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના વિવિધ શહેરોની સાથે સુરેન્દ્રનગરની જિલ્લામા પણ ઝરમર.ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયુ છે વાદળો ઘેરાતા સુર્યના દર્શન દુર્લભ થયા છે અને વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધ્યુ છે માવઠાને કારણે તેમજ ભેજવાળા વાતાવરણને કારણે શિયાળુ પાકને નુકશાન થવાની શકયતા છે.

આ પણ વાંચો ;કોર્પોરેશનની અનોખી પહેલ /  વેકસીનનો બીજો ડોઝ લો અને મેળવો 50 હજારનો સ્માર્ટ ફોન….

સાયલા પંથકના ખેડુતોએ વાવેલો કપાસ સહીતના પાકમાં નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે કપાસ બળી જવાની ઘટનાઓ પણ બનાવા લાગી છે ઝાલાવાડના ખેડુતોએ વાવેલ ઘઉ, જીરૂ, ચણા, તલ, જેવા શિયાળુ પાકમાં નુકશાન થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. બીજી તરફ વાતાવરણ ઠંડુગાર બનતા જનજીવનને પણ માઠી અસર પડી છે બજારમાં કરફયુ જેવો માહોલ જોવા મળે છે બર્ફીલા પવન અને ડબલઋતુને કારણે રોગચાળો ફેલાવાની પણ શકયતા છે.