આલિયા અને રણબીર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે આલિયા ભટ્ટે લગ્નને લઈને ચાલી રહેલા આ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આલિયાનું શું કહેવું છે તે જાણતા પહેલા તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા વચ્ચે નિકટતા વધી હતી.ત્યારથી આજ સુધી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીરે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો વર્ક કમિટમેન્ટ અને કોરોના સંક્રમણ આડે ન આવ્યું હોત તો તે અત્યાર સુધીમાં આલિયા સાથે લગ્ન કરી લેત.
જો કે હવે આલિયા ભટ્ટે લગ્ન સાથે જોડાયેલા સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘મને લાગે છે કે આ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે કારણ કે ઘણા કપલ્સ લગ્ન કરી રહ્યા છે, તેથી લોકો એવું વિચારવા લાગે છે કે તમે સારા કપલ છો તો તેઓ લગ્ન કરશે.’ આલિયા આગળ કહે છે, ‘મને હંમેશા લાગ્યું છે કે લગ્નનો નિર્ણય લાગણીઓ સાથે જોડાયેલો છે અને તે યોગ્ય સમયે લેવો જોઈએ. ખાસ કરીને જ્યારે તમે બંને તેના વિશે કમ્ફર્ટેબલ હો. તમને જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર’ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એકસાથે પહેલી ફિલ્મ હશે.
કોરોના સંક્રમણને કારણે ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ ઘણી વખત સ્થગિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર અને આલિયાની સાથે નાગાર્જુન અક્કીનેની, અમિતાભ બચ્ચન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.