આજે એટલ એકે ૧૦ જાન્યુઆરીને વિશ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરમાં મનાવવામાં આવે છે. વિદેશમાં ઘણા ભારતીય દુતવાસ માટે આજનો દિવસ ઘણો ખાસ છે.
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કરી હતી આ જાહેરાત
સૌથી પહેલા વિશ હિન્દી સમ્મેલન ૧૦ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ નાગપુરમાં થયું હતું જેમાં ૩૦ દેશોના ૧૨૨ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરંતુ દર વર્ષે ૧૦ જાન્યુઆરીને જ વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવો તેની જાહેરાત વર્ષ ૨૦૦૬માં થઇ હતી. આ ઘીશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કરી હતી.આ દિવસે ઘણા સરકારી કાર્યાલયોમાં હિન્દી ભાષા સંબંધિત કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.
શા માટે ૧૪ સપ્ટેમ્બરનો દિવસ એટલે હિન્દી દિવસ કહેવાય છે ?
તમને જણાવી દઈએ કે ભારતમાં હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી ભાષાનું ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. તે દિવસથી લઈને આજ સુધી ૧૪ સપ્ટેમ્બરનો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.