નવી દિલ્હી,
બ્રિટનના પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ દ્વારા લખવામાં આવેલી અંતિમ બુક દુનિયામાં ભગવાનના અસ્તિત્વ અંગેનો ખુલાસો થયો છે. પોતાની અંતિમ બુકમાં તેઓએ લખ્યું હતું કે, “ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી, એટલે કે દુનિયામાં કોઈ ભગવાન છે ન નહિ”.
નાસ્તિક તરીકે ઓળખાતા પ્રોફેસર હોકિંગે લખ્યું છે કે, “બ્રહ્માંડનું નિર્માણ થયું નથી, એટલે કે કોઈએ પણ દુનિયા બનાવી નથી”.
આ ઉપરાંત પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, “જેઓ મને છે કે, કિસ્મત પહેલાથી લખાયેલી હોય છે, તો એ વું કોઈ છે નહિ. કોઈ અમારું નસીબ લખતું નથી.
દુનિયાના સૌથી પ્રખર વૈજ્ઞાનિકમાંના એક હોકિંગની અંતિમ પુસ્તકનું નામ છે “is There a God”. આ પુસ્તકને જોન મૂરાએ પબ્લિશ કરી છે.
આ એક પુસ્તકમાં બ્રહ્માંડ, ઇન્ટેલિજન્સ, અંતરિક્ષ સહિત ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબ આપવામાં આવ્યા છે.
હોકિંગની બુક પબ્લિશ કરનારા મૂરાએ જણાવ્યું હતું કે, “હોકિંગ દ્વારા ભગવાનનો શબ્દનો ઉપયોગ બિન ખાનગી રીતે કર્યો હતો.જે પ્રકારે અલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા પ્રકૃતિના નિયમો માટે ભગવાન શબ્દનો ઉપયોગ કર્યો હતો,
મહત્વનું છે કે, ૧૪ માર્ચ, ૨૦૧૮ના રોજ સ્ટીફન હોકિંગનું નિધન થયું હતું.