- ભાવનગરમાં હત્યાનો બનાવ
- પિતાએ જ કરી પુત્રીની હત્યા
- દસ્તાના ઘા ઝીંકીને કરી હત્યા
- પિતા અને પુત્રી વચ્ચે થયો હતો ઝઘડો
- આવેશમાં આવીને પિતાએ કરી હત્યા
ભાવનગરના સિહોરમાં સામાન્ય ઝઘડાથી આવેશમાં આવીને પિતાએ દસ્તાના ઘા ઝીકીં પુત્રીની હત્યા કરી હતી.પતિના સાથે થયેલા ઝઘડાને લઈ પુત્રી પોતાના પિતાને ઘરે રહેવા આવી હતી.દરરોજ થતા ઝગડામાં આજે પણ સવારે પિતા પુત્રી વચ્ચે ઝઘડો થતા પિતાએ પોતાની જ દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દેતા દીકરી ત્યાં જ ઢળી પડી અને મોતને ભેટી હતી.બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.હાલ લાશને પીએમ માટે ખસેડી પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : વડોદરા નવલખી દુષ્કર્મ કેસ બન્ને આરોપીઓ દોષિત જાહેર, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ભાવનગરના સિહોરમાં આજે સવારે પિતાએ પરિણીત પણ રીસામણે સાથે રહેતી દીકરીની દસ્તાના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખવાની ઘટના બનવા પામી છે. ઘરમાં અવારનવાર થતા ઘરકંકાસને પગલે આજે સવારે થયેલા ઝગડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આવેશમાં આવેલા પિતાએ દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દેતા દીકરીનું મોત નીપજ્યું હતું જ્યારે પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના સિહોરના ખારાકુવા વિસ્તારમાં એક પરિણીત દીકરીની તેના જ પિતાએ ઘાતકી હત્યા કરી નાખી હોવાની ઘટના બનવા પામી છે. આ બનાવમાં બેલાબેન હરેશભાઇ શાહ નામની યુવતીના પ્રથમ લગ્ન ભાવનગર ખાતે થયા હતા.જ્યાં બેલાબેન ને એક દીકરા નો જન્મ થયા બાદ તેમના સુખી લગ્ન જીવનનો અંત આવ્યો અને તેમના ડિવોર્સ થઈ જતા તે તેના પુત્ર સાથે પિયર પરત ફરી. થોડા સમય બાદ બેલાના લગ્ન મહુવા કરવામાં આવ્યા પરંતુ તેમાં પણ થોડા સમય બાદ પતિ સાથેના ઝગડાને લઈ તે પોતાના પિતાના ઘરે રહેવા જતી રહી હતી.
આ પણ વાંચો :જંગલના રાજા સિંહને કાચબાએ હંફાવ્યો, ઘટના બની એવી કે તમે જાણીને…
દીકરી સાપ નો ભારો એ કહેવત સાર્થક બની અને દીકરી ઘરમાં આવતા ઝગડા અને ઘરકંકાસ વધ્યો હતો. દરરોજ થતા ઝગડા માં આજે પણ સવારે પિતા પુત્રી વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પિતાએ પોતાની દીકરીને માથાના ભાગે દસ્તાના મરણતોલ ઘા ઝીંકી દેતા દીકરી ત્યાં જ ઢળી પડી અને મોતને ભેટી હતી.આ બનાવને પગલે સિહોરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.જ્યારે હત્યાની ઘટનાના પગલે સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ લાશને પીએમ માટે ખસેડી પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દોષિતોની સજા અંગેની સુનાવણી થઈ પૂર્ણ, 11 ફેબ્રુઆરીએ થશે આગળની સુનાવણી
આ પણ વાંચો :ભૂજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે કરાયા આવા ચેડા
આ પણ વાંચો :ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના સગીરની ગળા ટુપો દઈ નિર્મમ હત્યા કરાઈ