Not Set/ માળિયાના માણાબા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 નાં મોત

મંતવ્ય ન્યૂઝ,  માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી એક વૃદ્વાએ દમ તોડી દેતા અકસ્માતનો મૃત્યુ આંક 6 એ પહોંચ્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ માળિયા નજીક આવેલા માણાબાના […]

Gujarat Others
અકસ્માત માળિયાના માણાબા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 નાં મોત

મંતવ્ય ન્યૂઝ, 

માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી એક વૃદ્વાએ દમ તોડી દેતા અકસ્માતનો મૃત્યુ આંક 6 એ પહોંચ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ માળિયા નજીક આવેલા માણાબાના પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 09 બીબી 5282 નંબરની સેવરોલેટ કાર સાથે જીજે 01 કેએલ 1129 નંબરની આઇ 20 કાર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બન્ને કારનો કુરચો નીકળી ગયો હતો. અકસ્માતમાં એક કારમાં સવાર હરિભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હનસરાજભાઇ પટેલ અને નર્મદાબેન નરશીભાઇ પટેલ તેમજ બીજી કારમાં સવાર સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહનું મોત નિપજ્યું છે.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દેવકીબેન નારણભાઇ પટેલ અને વિમળાબેન હરિભાઇ પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દેવકીબેન નારણભાઇ પટેલનું મોત નીપજ્યું છે.દેવકીબેનની ઉંમર અંદાજે 70 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત વિમળાબેનની હાલત અતિ ગંભીર હોય, તેને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.