દેશમાં કોરોના ચેપનાં કેસો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મંગળવારે ઉજ્જૈનથી એક દુઃખદ સમાચાર બહાર આવ્યા હતા. જણાવી દઇએ કે, ઉજ્જૈનનાં પોલીસ ઇન્ચાર્જ નીલગંગાનું મંગળવારે ઈન્દોરમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. 6 એપ્રિલે, તેમને કોરોના ચેપની પુષ્ટિ થયા પછી, તેમને ઇન્દોરની સીએચએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો, તો તેમને 12 દિવસ પહેલા ઇન્દોરની અરવિંદો હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
મળતી માહિતી મુજબ તેમણે મંગળવારે સવારે પાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. પાલનાં પરિવારમાં એક પત્ની અને બે પુત્રી છે. મૂળ બુરહાનપુરનાં રહેવાસી, 59 વર્ષિય યશવંત પાલ 1983 ની બેચનાં ઇન્સ્પેક્ટર હતા. બાદમાં, તે અને તેમનો પરિવાર ઇન્દોરમાં રહેવા લાગ્યો. કોરોના ઇન્ફેક્શનની પુષ્ટિ થયા પછી, તેમની પત્ની મીના, 22 વર્ષીય પુત્રી ફાલ્ગુની અને 20 વર્ષની પુત્રી ઇશાને શહેરની એક હોટલમાં અલગ રાખવામાં આવ્યા હતા. પરિવાર થોડા દિવસો પહેલા તેમને મળવા આવ્યો હતો. મંગળવારે સવારે મોતની સૂચના બાદ સગાસંબંધીઓ ઈંદોર પહોંચ્યા હતા.
ટીઆઇ પાલે શહેરનાં કન્ટેનમેન્ટ ક્ષેત્રનાં અમ્બર કોલોનીમાં ફરજ બજાવી હતી. આ કોલોનીમાં કોરોનાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું. ઉપરાંત, ટીઆઈ પાલ પણ બેગમબાગ વિસ્તારમાં જ તૈનાત રહ્યા હતા. અહીં કોરોના પોઝિટિવ દર્દીઓ પણ મળી આવ્યા છે. સારવાર દરમિયાન, શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ટીઆઇ પાલને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વળી ડૉક્ટર્સની સખત મહેનત છતાં તેઓને બચાવી શકાયા નહીં. માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટીઆઈ પાલની અંતિમ વિધિ ઇન્દોરમાં કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.