કલાકારોએ ધંધા રોજગાર શરૂ કરવાની કરી માંગ
સાંજ 5 વાગ્યા સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ
નવરાત્રીમાં ગરબા કરવા મંજૂરી આપવા કરી માંગ
સમસ્ત ગુજરાતમાં કલા જગત તથા આ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ વ્યક્તિઓ ની વેદના ને વાચા આપવા માટે તથા તેમની સમસ્યાઓને તંત્ર સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે રજુ કરવા અંગે કલાકાર અધિકાર આંદોલન સમીતી દ્વારા તા.12-10-2020 ના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી એક દિવસ ના સામુહિક પ્રતિક ઉપવાસ નુંગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આયોજન કરવામાં આવેલ છે.
નોધનીય છે કે, કોરોના ને કારણે લાગુ કરવામાં આવેલા લોક ડાઉન માં આવા નાના કલાકારોની હાલત અત્યંત કફોડી બની છે. અને અનલોકમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન આવા કલાકારોને પોતાના ધંધા રોજગાર માં છૂટ મળવાની આશા હતી જે પણ ઠગારી નીવડી છે. જેને લઈને આ કલાકો દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું છે. તેમજ આગામી કાર્યક્રમ ની રૂપરેખા નક્કી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.