રાજ્યમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા પરવડી ચોકડી નજીક લકઝરી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 40 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તરપ્રદેશથી સુરત જઈ રહેલી બસને ગોધરા-પરવડી ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો.
બસ પલ્ટી જતાં સ્થાનિકો સહિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવી રાહત બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. દુર્ઘટનામાં 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, લોકડાઉનને પગલે અનેક પરપ્રાંતિય મજૂરો પોતાના વતને જતા રહ્યા હતા. પરંતુ હવે ધીરે ધીરે માર્કેટ ખૂલતા આ શ્રમિકો કામની આશાએ ગુજરાતમાં પરત ફરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે ઉત્તર પ્રદેશથી કેટલાક મજૂરો સુરત તરફ ફરી રહ્યા હતા. મજૂરો એક બસમાં સવાર હતા. પરંતુ બસમાં મંજૂરી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. બસમાં 100 થી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. આવામાં ગોધરા પાસે બસે કાબૂ ગુમાવ્યો હતો, અને બસ પલટી ગઈ હતી.
તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.