ચેન્નઇઃ તામિલનાડુના મુખ્યમંત્રી બનવા માટે પલાનીસ્વામીએ બહુમત પુરવાર કર્યો છે. જોકે રાજ્યપાલે તેમને 15 દિવસનો સમય આપ્યો હતો પરંતુ પોતાની સાથે રહેનાર ધારાસભ્યોની સંખ્યા મામલે અનિશ્ચિતતાને લઇને તેમણે ત્રણ જ દિવસમાં બહુમત સાબિત કરવાનું બીડું ઉઠાવી લીધું હતું. જેને લઇને બહુમત પસાર કરવા માટે ખાસ વિધાનસભા સત્ર મળ્યું છે.
તામિલનાડુ વિધાનસભા સત્ર શરુ થતાં જ ગુપ્ત મતદાનની માગણી ડીએમકે દ્વારા ઉઠાવવામાં આવી હતી. તો ઓ પન્નીરસેલ્વમ દ્વારા હજુ સમય લઇને ધારાસભ્યો દ્વારા પોતાની જનતાનો અભિપ્રાય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જોકે સ્પીકરે આ બંને માગણી અસ્વીકાર્ય કરી હતી અને આજે જ બહુમત સાબિત કરવાની પ્રક્રિયા શરુ કરી હતી. આ સાથે જ વિધાનસભામાં ડીએમકેના ધારાસભ્યો દ્વારા જોરદાર હંગામો શરુ કરાયો હતો જેને લઇને વિધાનસભા એક વાગ્યા સુધી સ્થિગત કરવામાં આવી હતી. જે બાદ ફરીથી વિશ્વાસમત લેવાની પ્રક્રિયા ફરીથી શરુ કરવામાં આવી હતી.