Not Set/ પંચમહાલમાં પ્રેમી પંખીડાની જળ સમાધિ

પંચમહાલના શહેરા તાલુકાના ગાંગડિયા ગામમાં પ્રેમી પંખીડાએ કૂવામાં છલાંગ લગાવી મોતને વાહલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  કર્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગાંગડિયા ગામના નવાપુરા પટેલ ફળિયાના પ્રેમી-પંખીડાએ સમાજ એક નહિ થવા દે એ બીકે જીવન ટૂંકાવ્યું છે. ત્રણ દિવસ પહેલા ગામમાંથી વિપુલ […]

Gujarat Others
afb3def32f2ab693722ffb1c4b6a08e1 પંચમહાલમાં પ્રેમી પંખીડાની જળ સમાધિ

પંચમહાલના શહેરા તાલુકાના ગાંગડિયા ગામમાં પ્રેમી પંખીડાએ કૂવામાં છલાંગ લગાવી મોતને વાહલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  કર્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ગાંગડિયા ગામના નવાપુરા પટેલ ફળિયાના પ્રેમી-પંખીડાએ સમાજ એક નહિ થવા દે એ બીકે જીવન ટૂંકાવ્યું છે. ત્રણ દિવસ પહેલા ગામમાંથી વિપુલ અને સેજલ નામના પ્રેમી પંખીડા ફરાર થયા હતા. વિપુલ અને સેજલે ઘરથી આશરે 800 મીટરના અંતરે આવેલ કુવામાં ઝંપલાવ્યું હતું.

સ્થાનિક લોકોને કુવામા બે લાશ પડેલી જોવા મળતા તેઓએ આગેવાનોને થકી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને સ્થાનિકોની મદદ લઇને કુવામા ખાટલો બાંધીને યુવક યુવતીની લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ તેમને શહેરા ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થ ખસેડવામા આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.