16 ડિસેમ્બર 1971…તે માત્ર એક તારીખ નથી. આ એક એવી તારીખ છે જે આપણને ભારતીય સેનાની બહાદુરી, શૌર્ય અને પરાક્રમની યાદ અપાવે છે. આ તારીખે ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું અને એક નવા દેશ, બાંગ્લાદેશનો પાયો નાખ્યો, જે અગાઉ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું.
તેથી જ 16મી ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જ પાકિસ્તાની સેનાના 93,000 સૈનિકોએ ઘૂંટણિયે પડીને ભારતીય સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 13 દિવસના આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની આખી ટેન્ક રેજિમેન્ટને નષ્ટ કરી દીધી હતી.
આ યુદ્ધે બાંગ્લાદેશને જન્મ આપ્યો
આ યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 16 ડિસેમ્બરના રોજ ઢાકામાં પાક સેનાએ ભારતને આત્મસમર્પણ કર્યું હતું. પૂર્વી પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી અને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો. પાકિસ્તાનને દરેક મોરચે ભારતથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ જીતથી ભારતની સ્થિતિ મજબૂત બની
સેમ માનોકોશ આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ જીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1971ની આ જીતે આ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત કરી અને ભારતીય સેનાના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો, જેના પર ભારતના દરેક નાગરિકને ગર્વ છે અને જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: