અમદાવાદ,
“ચાલ તને વિમાનની સેર કરાવી લાવું….” આવું કહીને સગીરાની છેડતી કરનાર વ્યક્તિને અમદાવાદની સેશન્સ કોર્ટે લાલ આંખ દેખાડી છે. સગીરાની છેડતી કરનાર આરોપી રણછોડ પરમારને સેશન્સ કોર્ટે છેડતીના કેસમાં દોષિત માનીને ત્રણ વર્ષની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદમાં ગીતા મંદિરના મજુર ગામ વિસ્તારમાં રહેતા રણછોડ પરમારે ૧૫ વર્ષની સગીરાની જાહેર રોડ પર છેડતી કરી હતી.રણછોડ પરમારે જાહેર રોડ પર સગીરાને કહ્યું હતું કે…ચાલ તને વિમાની સેર કરાવી લાવું…
રણછોડે આવું કહેતા સગીરા અચાનક ગભરાઈ ગઈ હતી અને સગીરાએ ડરતા ડરતા આ મામલાની જાણ તેના માતાપિતા તેમજ નજીકના સગા વહાલાને કરી હતી. અને જે અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપીની સામે ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપી રણછોડ પરમારની ધરપકડ કરીને તેને જેલ હવાલે મોકલી દીધા હતા.
અને આ જ કેસમાં આજે સેસન્સ જજ એન પી સૈયેદની કોર્ટે સરકારી વકીલ ભરત પટણીના પુરાવા અને દલીલોને માન્ય રાખીને આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારવાનો હુકમ જાહેર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.