દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની નવી લહેરે દેશમાં હેલ્થ સિસ્ટમની પોલ ખોલી દીધી છે. ત્યારે હવે રોજ કોરોનાનાં કેસની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. અહી સૌથી ચોંકવાનારી વાત તો એ છે કે, કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે શું કરવુ તે હવે જાણવું આવશ્યક છે.
વેક્સિન છે મોટો હથિયાર, પણ સાવચેતી જરૂરી
કોરોનાવાયરસને નિયંત્રિત કરવા હવે વેક્સિન મોટો હથિયાર માનવામાં આવે છે. આની જરૂરિયાત જોતા, ભારતમાં પણ 1 મે થી, 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, રસીને લઈને લોકોનાં મનમાં હજી પણ ઘણા સવાલો છે. ઉદાહરણ તરીકે, જો રસી લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું. અથવા જો રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થઇ જાય તો શું કરવું. યુનાઇટેડ સ્ટેટ્સમાં જ્હોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીનાં સંક્રમણ રોગનાં નિષ્ણાંત ડો.અમેશ અદલજાએ કહ્યું, ‘જો તમને કોવિડ-19 હોય અથવા તેના લક્ષણો દેખાય તો તમારે રસીની એપોઇન્ટમેન્ટ મુલતવી રાખવી જોઇએ. આનું કારણ એ છે કે તમે જે કેન્દ્રમાં રસી લેવા આવો ત્યા અન્ય લોકોને સંક્રમિત ન કરી દો. રસીની એપોઇન્ટમેન્ટ પહેલા સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રકારનાં સવાલો પૂછવામાં આવે છે. આ સિવાય, રસીકરણ કેન્દ્રની અંદર જતા પહેલા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારનાં લક્ષણ જોતાં, ડોક્ટર તમારી નિમણૂક રદ કરી શકે છે. સીડીસીની માર્ગદર્શિકા અનુસાર, કોવીડ-19 દર્દીઓની સંપૂર્ણ રિકવરી થાય ત્યાં સુધી અને રસીકરણ માટે આઇસોલેશનમાંથી બહાર ન આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. સારવાર પૂર્ણ થયા પછી, રસી લગાવો.
જો તમને બે ડોઝ વચ્ચે સંક્રમણ થયુ હોય તો શું કરવું
ઘણા લોકો રસીનો એક ડોઝ લીધા પછી પણ સંક્રમિત થઇ જાય છે. આવી સ્થિતિમાં, તમારે તમારી બીજા ડોઝની તારીખ 3-4 અઠવાડિયા માટે વધારી દેવી જોઈએ. જો કે, તમારે ચોક્કસપણે આ વિશે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોઝ વિશેની તેમની સલાહનું પાલન કરવું જોઈએ. અધ્યયનો અનુસાર, જો કોઈ વ્યક્તિ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોનાથી સંક્રમિત થાય છે, તો તેણે સ્વસ્થ થયા પછી કેટલાક અઠવાડિયા સુધી બીજો ડોઝ ન લેવો જોઈએ. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનનાં નવા અધ્યયનમાં, કોવિડ-19 માંથી સ્વસ્થ થતા દર્દીઓએ ઓછામાં ઓછા ત્રણ મહિના પછી રસી લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, આને કારણે શરીરમાં એન્ટિબોડીઝ મજબૂત બને છે અને લાંબા સમય સુધી રહે છે.
સ્વસ્થ થયા પછી વેક્સિન માટે કેટલાક અઠવાડિયાની રાહ જોવી તમારા માટે ફાયદાકારક
અધ્યયનો અનુસાર, કુદરતી સંક્રમણમાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં, શરીર દ્વારા બનાવવામાં આવતી ઇમ્યૂનિટી રસી પ્રત્યે સારો ઇમ્યૂન રિસ્પોન્સ આપે છે. તેથી, કોરોનામાંથી સ્વસ્થ થયા પછી, વેક્સિન માટે કેટલાક અઠવાડિયાની રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હંમેશાં ધ્યાનમાં રાખો કે તમે રસીકરણ દ્વારા પોતાને બચાવવાની પ્રક્રિયામાં અન્યને જોખમમાં ન મૂકો. તેથી જો તમને અંદરથી બરાબર લાગતું નથી અથવા જો તમને કોરોનાનાં કોઈ લક્ષણો બતાવી રહ્યાં છે, તો પોતાની એપોઇન્ટમેન્ટને રદ કરી દો.