@ નિકુંજ પટેલ
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં ફાયરિંગને ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં 10 થી 15 રાઉન્ડ ફાયર કરાયા હોવાનું જણાવાયું છે. જમીનના વિવાદને પગલે ફાયરિંગ કરાયું હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ અંગે જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં 10 થી 15 રાઉન્ડ ફાયર કરાયા હોવાનું જણાવાયું છે. હિતેન્દ્રસિંહ, દિપક હિરપરા સહિતના શખ્સો સામે આ અંગે ફરિયાદ નોંદાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના