- સુરતઃ 5 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા
- પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
- શ્રમિક પરિવારની બાળાની દુષ્કર્મ બાદ હત્યા
- શહેરના પુણા વિસ્તારની ઘટના
- સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતમાં દિન-પ્રતિદિન ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે. શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જણાવીએ કે, મંગળવારની રાત્રે શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરાઈ છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને પકડી પાડ્યો છે. રસ્તા પર સૂઈ રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસે ગણતરીના કલાકમાં બાળકીની હત્યા કરનાર આરોપી લલનસિંહને પકડી પાડ્યો છે. પુણાગામ પોલીસે જણાવ્યુ કે, દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીને કોઈ શખ્સ લઈને ભાગી ગયો હતો. આખી ટીમ એક્ટિવ કરીને શોધઓળ ચાલુ કરી હતી. બાળકી વધુ પડતી રડતી હતી અને બૂમાબૂમ કરતી હતી, તેખી લલને તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા બાદ તેને કચરામાં નાંખી દીધી હતી. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશન રહેવાસી છે, પૂણા ગામમાં મજૂરીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે.
મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી. હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા છે. ત્યારે પુણાગામ પોલીસે આરોપી લલનસિંહની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં રોજગારીની શોધમાં અન્ય રાજ્યોના અનેક મજૂર પરિવારો રોજગારીની શોધમાં આવે છે. જેમને ઓટલો ન મળતા તેઓ ખુલ્લામાં સૂઈને દિવસો વિતાવે છે. આવામાં આવા પરિવારની દીકરીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થાય છે.
આ પણ વાંચો :ખંભાતમાં થયેલ હિંસાને લઈ આવ્યા મોટા સમાચાર, 3 મૌલવીએ રચ્યું હતું કાવતરૂં
આ પણ વાંચો :પિતાએ દીકરીને રાત્રે ઘરની બહાર બેસવા પર આપ્યો ઠપકો, પછી જે થયું તે તમે વિચારી પણ નહીં શકો…