રાજય સરકાર દ્વારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈનમાં પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામાં એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. એક ઘર ભૂલેલી મહિલાને ખૂબ જ સુંદર કામગીર કરી તેના ઘરે પરત મોકલવામાં આવી છે.
રાણાવાવ નજીક જાગૃત નાગરીકદ્વારા ફોન કરી મદદ માંગી હતી. અને જણાવ્યુ હતું કે, કોઈ મહિલા મળી આવી છે. જે રસ્તો ભુલી ગઈ છે. તેમને મદદની જરુર છે. ફોન મળતા જ તુરંત પોરબંદર અભયમની ટીમ સ્થળ પર પહોચી હતી. અને જાગૃત નાગરિક તથા આજુબાજુના લોકોને મળી મહિલા વિશે માહિતી મેળવવ પ્રયાસ કર્યો હતો.
મહિલાને પ્રાેત્સાહન આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તે ભાવનગર જિલ્લાના સીદસર ગામમાં રહે છે મહિલા અમાસના મેળામાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. મેળામાંથી એક સંઘ દ્વારકા દર્શન માટે પગપાળા જતો હતો. અને તેણી તેમની સાથે પગપાળા દ્વારકા દર્શન માટે ઘરે જાણ કર્યા વગર જ નીકળી ગઈ હતી. દ્વારકા પહોંચતા મહિલા સંગથી છુટા પડી અને એકલા ચાલતા ચાલતા પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામાં પહોંચી હતી.
મહિલા રાણાવાવ પહેલી વાર જ આવી હતી. અને કશું જ જોયેલ ન હોવાથી ઘણા સમયથી એક જ સ્થળ પર બેઠી હતી. મહિલાને ઘણા સમયથી એક જ સ્થળ પર બેઠેલા જોઈ એક જાગૃત નાગરિકે 181 માં કોલ કરી મદદ લીધી હતી. મહિલાને પોતાના ગામના નામ સિવાય અન્ય કોઇ જ માહિતી ના હતી. ભાવનગર જિલ્લામાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સીદસર ભાવનગર ની બાજુનું ગામ છે. જેથી ગામના પોલીસ સ્ટેશનના નંબર મેળવી ફોન કરી મહિલા અંગે પુછપરછ કરવામાં આવી હતી.
જો કે પોલીસ મથકે પણ આ બાબતે કોઈ માહિતી ના હતી. ત્યારબાદ અલગ અલગ ઘણા બધા લોકોના સંપર્ક કર્યા બાદ તે ગામના જિલ્લા સમિતીના ચેરમેનના નંબર મેળવી તેઓને ફોન કરી મહિલા વિશે પૂછપરછ કરતા તેઓ મહિલા ને ઓળખતા હતા. તેથી તેમની પાસેથી મહિલા ના દિકરા તથા પતિ ના નંબર અને માહિતી મેળવી મહિલાના પતિને ફોન કરી મહિલા વિશે માહિતી આપી હતી.
મહિલાના પતિને આશ્વાસન આપી જણાવેલ કે તમારી પત્ની અમારી પાસે સલામત છે ફોન પર કાઉન્સેલિંગ કરી મહિલાને લેવા માટે પોરબંદર બોલાવ્યા હતા. મહિલાના પતિએ જણાવેલ કે તે ભાવનગર થી લેવા માટે આવતા હોવાથી સવારે પહોંચી જશે તેમ જણાવ્યુ હતું. અંતે બીજા દિવસે મહિલાના પતિ આવે ત્યાં સુધી OSC પોરબંદરમાં આશ્રય અપાવી બિજા દિવસ પતિ તથા પરિવાર સાથે મિલન કરાવ્યૂ હતું. પરીવાર સાથે મિલન થતા તેઓએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.
સોનેરી બાળપણ/ આંગણવાડી કેન્દ્રની દીવાલો હવે બાળકોને બોલાવશે, બાળકોને ગમ્મત સાથે મળશે જ્ઞાન