- રેલીમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ રહેશે હાજર
- અમિત ચાવડા અને પરેશ ધાનાણી રહેશે હાજર
- સંવિધાન બચાવો રેલીમાં જોડાશે કોંગ્રેસ કાર્યકરો
અમદાવાદમાં આવેલા સારંગપુર સર્કલ ખાતેથી કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ યોજી ધરણાં કરવામાં આવ્યાં છે. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ગાંધીનગર ધારાસભ્ય સી જે ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતમાં ધરણાં યોજવામાં આવ્યાં છે. આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. અને ધરણાં પ્રદર્શન બાદ રેલી યોજી વિરોધ કરવામાં આવશે. સારંગપુર સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.