Mahesana/ દૂધસાગર ડેરીના નવા ‘સમ્રાટ’ બન્યાં અશોક ચૌધરી, વિપુલ ચૌધરીના શાસનનો અંત

દૂધસાગર ડેરીના નવા ‘સમ્રાટ’ બન્યાં છે “અશોક ચૌધરી”. અશોક ચૌધરીની પરિવર્તન પાર્ટીએ દૂધસાગર ડેરીની 15 બેઠકોના સામે આવેલા પરિણામમાંથી 13 બેઠકો પર પરિવર્તન આણી જીત મેળવી લીધી છે.

Top Stories Gujarat Others
doodh દૂધસાગર ડેરીના નવા 'સમ્રાટ' બન્યાં અશોક ચૌધરી, વિપુલ ચૌધરીના શાસનનો અંત

ભારે વિવાદ અને રાજકીય હુસાતુસી સાથે રાજકીય અખાડાનું એપી સેન્ટર સમી ભાસતી મહેસાણાની દુધ સાગરડેરીની વિપુલ ચૌધરી વિરુદ્ધ અશોક ચૌધરીની જંગમાં અશોક ચૌધરીની પરિવર્તન પાર્ટીએ મેદાન માર્યું છે.  આજે યોજાયેલી ચૂંટણીનાં જાહેર થયેલા પરિણામો બાદ દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના શાસનનો અંત આવ્યો છે. દૂધસાગર ડેરીના નવા ‘સમ્રાટ’ બન્યાં છે “અશોક ચૌધરી”. અશોક ચૌધરીની પરિવર્તન પાર્ટીએ દૂધસાગર ડેરીની 15 બેઠકોના સામે આવેલા પરિણામમાંથી 13 બેઠકો પર પરિવર્તન આણી જીત મેળવી લીધી છે. વિપુલ ચૌધરીની પેનલને માત્રને માત્ર 2 બેઠક પર જીત હાંસલ થઇ છે. ઉલ્લેખનીય છે કે ઝળહળતી જીત બાદ અશોક ચૌધરી દૂધસાગર ડેરીના નવા ચેરમેન બને તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

Ashok Chaudhary (@ashoksunrise) | Twitter

ઉલ્લેખનીય છે કે, મહેસાણાની દુધ સાગરડેરીમાં 99 ટકા જેટલું માતબર મતદાન થયુ હતું. ભારે વિવાદ અને રાજકીય આંટાપાટા વચ્ચે અંતે કુલ 1129 મતદારોમાંથી 1119 મતદારોએ મતદાન કર્યુની નોંધ કરવામાં આવી. જો મતદાનની વિગતો જોવામાં આવે તો, કડી 104 પૈકી 102 લોકોએ મતદાન કર્યુ, કલોલ-ગોજારીયા 99પૈકી 99 મતદારોએ મતદાન કર્યુ, ખેરાલુ-વડનગર 113 પૈકી 111 મતદારોએ મતદાન કર્યુ, ચાણસમા 95 પૈકી 95 લોકોએ મતદાન કર્યુ, પાટણ 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યુ, મહેસાણા 106 પૈકી 105 લોકોએ મતદાન કર્યુ, માણસા 96 મતદારો પૈકી 95 લોકોએ મતદાન કર્યુ, વિજાપુર 112 મતદારો પૈકી 109 લોકોએ મતદાન કર્યુ, વિસનગર 100 મતદારો પૈકી 98 લોકોએ મતદાન કર્યુ, સમી 98 મતદારો પૈકી 98 લોકોએ મતદાન કર્યુ, પૂર્વે જ્યાં મતદાન સામે HCએ સ્ટે આપ્યો હતો અને ગઇ કાલે HCનાં આદેશથી મતદાનને બહાલ કરવામાં આવ્યું તે, સિધ્ધપુરમાં 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યુ હતું. આમ કુલ 1129 મતદારોમાંથી 1119 મતદારનું મતદાન કર્યુ હતું.

doodh sagar dairy દૂધસાગર ડેરીના નવા 'સમ્રાટ' બન્યાં અશોક ચૌધરી, વિપુલ ચૌધરીના શાસનનો અંત

મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણીનાં પ્રથમ રાઉન્ડનાં પરિણામોથી જ વિપુલ ચૌધરી વિરુદ્ધ અશોક ચૌધરીની જંગમાં અશોક ચૌધરીની પરિવર્તન પાર્ટીએ મેદાન માર્યું હોવાનુ સામે સ્પષ્ટ જોવામાં આવી રહ્યું હતું. તો તમામ 15 બેઠકમાંથી 13 બેઠક જીતી અશોક ચૌધરી અને તેમની પેનલે દૂધસાગર ડેરીની સત્તા હસ્તગત કરી લીધી છે.

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ  –  દૂધસાગર ડેરીના નવા ‘સમ્રાટ’ બન્યાં અશોક ચૌધરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…