બનાસકાંઠા,
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગાામના બજારોમાં દબાણો કરાયા હોવાના મુદાને લઇને તાલુકા વહીવટી તંત્ર દ્રારા વેપારીઓને હેરાન કરાતાં વેપારીઓએ તેના વિરોધમાં ગામના સમગ્ર બજારો સજજડ બંધ કરવામાં આવ્યા હતા. દબાણની માપણી ખોટી કરાઈ હોવાનો વેપારીઓનો આક્ષેપ કર્યો હતો. તાલુકાના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિવેડો લાવવા વેપારીઓની માંગણી ઉઠી છે. યોગ્ય નિવેડો નહિ લાવે ત્યાં સુધી બજાર બંધ રાખવા વેપારીઓ મક્કમ બન્યા છે.