રાજસ્થાનમાં ગઈકાલે ભાવનગરના લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા. આજે રાજસ્થાનથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહો વતન લાવવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના દિહોરમાં એક સાથે 10 સ્મશાનયાત્રા કાઢવામાં આવતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.
રાજસ્થાનમાં બસ અકસ્માતમાં ભવનાગરના 12 મુસાફરોનામોત થયા છે. જેમાં દિહોરના 10 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ એક મૃતકના અંતિમ સંસ્કાર ભાવનગરમાં કરવામાં આવ્યા છે. અન્ય એકના અંતિમ સંસ્કાર દિહોર પાસેના તરસરા ગામે કરવામાં આવ્યા છે.
ભાવનગરથી ચારધામ જવા માટે બસ નીકળી હતી. કાર્તિક ટુર એન્ડ ટ્રાવેલ્સની બસ 4 દિવસ પહેલા નીકળી હતી. જેમાં ભાવનગરના 57 યાત્રિકો આ યાત્રાએ ગયા હતા. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા 10 લોકો તળાજાના દિહોર ગામના વતની હતા. ત્યારબાદ યાત્રા દરમિયાન મૃતકોનો છેલ્લો વીડિયો અને તસવીરો સામે આવી છે.રાજસ્થાનના પુષ્કર મંદિર પાસેનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો હતો. દિહોર ગામમાં સખ્ત બંધ પાળવામાં આવ્યો હતો.
દિહોરના 10 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા દિહોર ગામમાં શોકનું વાતાવરણ છે. તેમજ દિહોર ગામમાં સખ્ત બંધ પાળવામાં આવ્યો છે. દિહોર ગામની શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાલ દિહોર ગામમાં શોકનો માહોલ છે અને દિહોરની શેરીઓમાં મૌન છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલાની યાદી
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
- નંદરામભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
- ભરતભાઈ ભીખાભાઈ
- લાલજીભાઈ મનજીભાઈ
- અંબાબેન જીણાભાઈ
- કંબુબેન પોપટભાઈ
- રામુબેન ઉદાભાઈ
- મધુબેન અરવિંદભાઈ દાગી
- અંજુબેન થાપાભાઈ
- મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
- કલુબેન ઘોયલ
આ પણ વાંચો:સુરતમાં RTOએ છેલ્લા 4 વર્ષમાં 2997 લોકોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ
આ પણ વાંચો:અમદાવાદમાં પિતાની લાપરવાહીના કારણે કારમાં ફસાઈ ગયું બાળક અને પછી….
આ પણ વાંચો:અમદાવાદ કોર્ટથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મોટો ફટકો
આ પણ વાંચો:વડોદરામાં કર્મચારીઓની હડતાળને લઇ 15 શાળાના બાળકો રહ્યા ભુખ્યા