Bollywood/ ભાજપના સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિકિશન રજનીશની ભૂમિકામાં જોવા મળશે

વર્ષો અગાઉ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ યોગ વિદ્યાનો ઘેલું લગાડનાર આચાર્ય ઓશો રજનીશનું વ્યક્તિત્વ આજે પણ લોકોને તેમના તરફ આકર્ષે છે.વિવાદોથી વિંટળાયેલા ભારતના જિનિયસ ફિલોસોફર આચાર્ય- ઓશો રજનીશની

Trending Entertainment
ravi kishan with oaho ભાજપના સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિકિશન રજનીશની ભૂમિકામાં જોવા મળશે

વર્ષો અગાઉ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ યોગ વિદ્યાનો ઘેલું લગાડનાર આચાર્ય ઓશો રજનીશનું વ્યક્તિત્વ આજે પણ લોકોને તેમના તરફ આકર્ષે છે.વિવાદોથી વિંટળાયેલા ભારતના જિનિયસ ફિલોસોફર આચાર્ય- ઓશો રજનીશની બાયોપીક બની રહી છે. જેમાં ભાજપના સાંસદ કમ ભોજપુરી એકટર રવિકીશન ઓશોની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ છે ‘સિક્રેટસ ઓફ લવ’ રિતેશ એસ.કુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ રજનીશજીનુ જીવન અને તેમની ફિલોસોફી અને રજનીશમાંથી ઓશો બનવા સુધીની યાત્રા આવરી લેવાઈ છે. આ ફિલ્મમાં તેમની વૈશ્વિક લોકપ્રિયતા, સરકાર સાથેના મતભેદો વગેરે પ્રસંગો જોવા મળશે.

Gujarat / 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, વડાપ્રધાન મોદીએ કહ્યું – થેંક્યું ગુજરાત

Osho के किरदार में नजर आएंगे ये एक्टर, सोशल मीडिया पर वायरल हो रही तस्वीर »  Hindinewsmak.com

Chamoli / ઉત્તરાખંડના ચમોલીમાં ગુમ થયેલાં 136 લોકોને રાજ્ય સરકારે મૃત જાહેર કર્યા

ઓશોના રોલ બાબતે રવિકિશને જણાવ્યું હતું કે ઓશોના રોલ માયે મેં ઓશોની અનેક બુક વાંચી લીધી હતી અને સંશોધન કર્યું હતું.રવિ કિશને જણાવ્યું હતું કે મેં જયારે ડાયરેકટર રિતેશને પૂછયું કે મને ઓશોના રોલ માટે શા માટે પસંદ કર્યો ત્યારે તેમણે મને કહેલું કે તમારી આંખો ઓશોની આંખને મળતી આવે છે. ઓશોના ગેટઅપમાં મારા ફોટોગ્રાફ તેમને ગમ્યા હતા. ઓશોની ભૂમિકા ભજવવી તે મારા માટે સારો અનુભવ છે. તેમનુ શાંત ચિત બિલકુલ અખંડીત હતાં.

Ravi Kishan to play spiritual guru Osho in 'Secrets of Love' by Ritesh S  Kumar

આક્રોશ / સુરતમાં કોંગ્રેસની શરમજનક હારથી કાર્યકર્તાઓનો રોષ ભભૂક્યો, આ સિનિયર નેતાઓના પૂતળા સળગાવ્યા

ઉલ્લેખનીય છે કે ઓશો રજનીશનું જીવન હંમેશા ફિલ્મ મેકરોને આકર્ષિત કરતું રહ્યું છે. ઓશો અને તેમની શિષ્યા મા આનંદ શીલાને લઈને એક ડોકયુમેન્ટરી બની છે.વર્ષ 2018માં એવા એવી અફવા હતી કે ફિલ્મ મેકર શકુન બત્રા આમીરખાનને ઓશોના રોલમાં અને આલિયા ભટ્ટને મા આનંદશીલાના રોલમાં ચમકાવીને ફિલ્મ બનાવવા માંગતા હતા. આ સિવાય એક અન્ય ફિલ્મમાં પ્રિયંકા ચોપડા મા આનંદ શીલાના રોલમાં ચમકાવતી હતી. જેનું નિર્દેશન બેરી લેવિન સન કરનાર હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…