Not Set/ રક્તદાન એજ મહાદાન: મંતવ્ય ન્યૂઝનાં કર્મચારીઓ સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપ યુવા મોરચાના નેતા ડૉ.ઋત્વિજ પટેલ ભગીરથ કાર્યમાં જોડાયા

અમદાવાદ, વિશ્વ રક્તદાન દિવસના અનેરા મહિમાને લોક જાગૃતિના માધ્યમથી ઘર ઘર ,હર ઘર પહોંચાડવાની બીડું ‘મંતવ્ય ફાઉન્ડેશન, મંતવ્ય ન્યૂઝ એ પણ ઉઠાવ્યું. 14 જૂનના વિશ્વ રક્તદાન દિવસે, મંતવ્ય ન્યૂઝની ઓફિસમાં જ લગાવાયો કેમ્પ લગાવવામાં આવ્યો હતો. અમદાવાદની જાણીતી રક્તદાન બેન્કના કર્મચારીઓ પણ આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપવા ઉત્સાહ ભેર પહોંચ્યા હતા. મંતવ્યના સેવાભાવી કર્મીઓનો […]

Top Stories Ahmedabad Trending Videos
ફોટો 3 રક્તદાન એજ મહાદાન: મંતવ્ય ન્યૂઝનાં કર્મચારીઓ સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપ યુવા મોરચાના નેતા ડૉ.ઋત્વિજ પટેલ ભગીરથ કાર્યમાં જોડાયા

અમદાવાદ,

વિશ્વ રક્તદાન દિવસના અનેરા મહિમાને લોક જાગૃતિના માધ્યમથી ઘર ઘર ,હર ઘર પહોંચાડવાની બીડું ‘મંતવ્ય ફાઉન્ડેશન, મંતવ્ય ન્યૂઝ એ પણ ઉઠાવ્યું. 14 જૂનના વિશ્વ રક્તદાન દિવસે, મંતવ્ય ન્યૂઝની ઓફિસમાં જ લગાવાયો કેમ્પ લગાવવામાં આવ્યો હતો. અમદાવાદની જાણીતી રક્તદાન બેન્કના કર્મચારીઓ પણ આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપવા ઉત્સાહ ભેર પહોંચ્યા હતા.

મંતવ્યના સેવાભાવી કર્મીઓનો ઉત્સાહ પણ ઉડીને આંખે વળગતો હતો. આજના દિવસના મહિમામાં પોતાના રક્તથી અન્યના  જીવનમાં સંજીવની રૂપ રક્તબિંદુ, લોકસેવાનો પર્યાય બની રહેશે.

તેવી ભાવના દાખવતા રહયાતો કોંગ્રેસના ધારાસભ્ય અને ક્ષત્રિય-ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર પણ માનવસેવાને પલ્લવિત કરવા આવી પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે રક્તદાન કરી રક્તદાનના મહિમાનો એક પ્રેરણા પુંજ પણ પ્રસરાવ્યો.

તો પાટીદાર નેતા અને તબીબ ડો ઋત્વિજ પટેલ પણ રક્તદાનને મહામૂલું દાન ગણાવી મંતવ્યની આ ભાગીરથીમાં આચમન લેવા આવ્યા ભાજપ યુવા મોરચાના નેતા ડો ઋત્વિજ પટેલ જાણાવ્યું  હતું કે, માનવસેવાની આ હેલ તો બિરદાવી જ પરંતુ, રક્તદાન એ એક દિવસીય પ્રવૃત્તિના બની રહી, પ્રત્યેક દિવસે જરૂરિયાત મંદ સુધી લોહી પહોંચે અને તે માટે નિયમિત માનવસેવા મહેકે તેવી ફરજ પ્રત્યેક નાગરિક બજાવે તેવો સંકલ્પ પણ વ્યક્ત કર્યો.