રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચેનાં સમાચારોનાં અહેવાલો વચ્ચે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પક્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાર્ટીને પૂછ્યું છે કે શું આપણે ઘોડાનાં ભાગ્યા પછી જાગીશું?
જો કે અહી સિબ્બલે પોતાના ટ્વિટમાં કોઈ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમણે રાજસ્થાન કોંગ્રેસનાં ભાગલાનાં સંદર્ભમાં જ આ કહ્યું છે. ગેહલોતથી નારાજ સચિન પાયલોટ કેટલાક ધારાસભ્યની સાથે દિલ્હીમાં છે અને તેઓ સોનિયા ગાંધીને મળી શકે છે. સિબ્બલે ટ્વિટર પર એક અંગ્રેજી કહાવત દ્વારા કહ્યું કે, હું અમારી પાર્ટીની ચિંતા કરું છું. શું આપણે ત્યારે જાગીશું જ્યારે ઘોડા આપણા તબેલાથી ચાલ્યા ગયા હશે? ‘
Worried for our party
Will we wake up only after the horses have bolted from our stables ?
— Kapil Sibal (@KapilSibal) July 12, 2020