900+ રોજીંદા આંકડા સાથે કોરોનાનાં તાડવ ગુજરાત પર યથાવત નોંધવામાં આવી રહ્યો છે. યથાવત્ કે યથાસ્થિતિ કહેવું પણ કોરોના મામલે યથાવત નથી કારણ કે આંકડો સતત વધી રહ્યો છે. વાત વિદિત છે કે, કોરોનાનાં સંક્રમણ અને મોતની સંખ્યા મામલે કહી શકાય કે, ગુજરાતનાં તમામ જીલ્લા એક તરફ અને અમદાવાદ જીલ્લો એક તરફ અમદાવાદ.
બસ આવા જ કારણો સાથે અમદાવાદ કોરોનાનાં મામલે ખુબ સેન્સીટીવ ગણવામાં આવી રહ્યું છે અને તંત્રની મહેનતને કારણે જ હાલ કોરોના અમદાવાદમાં નિયંત્રીત જોવામાં આવે છે. તંત્ર દ્વારા કોરોનાની સમીક્ષા અને યથાસ્થિતિમાં ફેરફાર કરી સતત અપગ્રેડ કરવામાં આવે છે. અને માટે જ ફરી અમદાવાદનાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે ફેર બદલનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જી હા, ફરી અમદાવાદનાં 212 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 14 વિસ્તાર દુર કરાયા છે. ના માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો સફાયો કરવાની કોઇ ચાલ નથી આમા 14 બાદ કર્યા તો સાથે સાથે માઇક્રે કન્ટેઈનમેન્ટ ઝોનમાં નવા 14 વિસ્તારો ઉમેરાયા પણ છે.
સામાન્યતા જે વિસ્તારોમાંથી કોરોનાનાં કેસ વઘી રહ્યા છે તે વિસ્તારોને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામાવવામાં આવ્યા છે અને જે વિસ્તારોમાં કોરોના કંન્ટ્રોલમાં જણાયા છે તે વિસ્તારોને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી દુર કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….