કન્નૌજમાં લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા દુ:ખદ અકસ્માતમાં બિહારનાં 5 કામદારોનાં મોત નીપજ્યાં હતાં અને આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે. તેમાંથી 18 લોકોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, એક ખાનગી ડબલ ડેકર બસ, જે પૂરી ભરેલી હતી, તે બિહારનાં દરભંગાનાં મસવાણીથી કામદારોને લઇને દિલ્હી જઇ રહી હતી. જે રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી. આપને જણાવી દઇએ કે લોકડાઉન દરમિયાનમાં જે કામદારો પોતાના ઘરે ગયેલા તેઓ ફરીથી મોટા શહેરોમાં પાછા ફર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કન્નૌજનાં સૌરાષ્ટ્ર પોલીસ સ્ટેશન વિસ્તારનાં લખનઉ આગ્રા એક્સપ્રેસ-વે કટ નજીક સવારે પાંચ વાગ્યે એક બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, ત્યારબાદ બંને વાહનો ખાઇમાં પડી ગયા હતા. આ અકસ્માત સમયે બસનાં મોટાભાગનાં મુસાફરો સૂઈ રહ્યા હતા. ડ્રાઇવરને પણ નિદ્રા આવી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. ઘટના સમયે અચાનક ટક્કર બાદ બસ પલટી ખાઈને ખાઇમાં પડી ત્યારે બધાએ આંખો ખોલી અને ચીસો પાડી, એક ભયંકર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
Kannauj: Five people died, at least 18 injured after a private bus hit another vehicle at Agra – Lucknow Expressway this morning. The injured have been taken to a hospital. The bus was going from Bihar’s Darbhanga to Delhi when the accident occured. pic.twitter.com/xg6YYFWYTI
— ANI UP (@ANINewsUP) July 19, 2020