Madhyapradesh News : મધ્યપ્રદેશના ગુના જીલ્લામાં પ્રશાસન દ્વારા એક આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આરોપીએ એક યુવતી સાથે જબરજસ્તી કરી હતી. હાલમાં આરોપી પોલીસની કસ્ટડીમાં છે.આ બનાવ ગુના જીલ્લાના નાનખેડી વિસ્તારમાં બન્યો હતો જ્યાં આયાન પઠાણ નામના શખ્સે એક યુવકીની મારઝુડ કરીને તેની આંકોમાં અને શરીર પરની ઊજા પર મરચાનો પાવડર નાંખી દીધો હતો.પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પ્રશાસને તેના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું. આરોપીએ સરકારી જમીન પર અતિક્રમણ કર્યું હતું. તેને પહેલા નોટીસ મોકલાઈ હતી પણ તેણે કોઈ જવાબ ન આ પતા અંતે મકાનનો એ ભાગ તોડી પડાયો હતો જ્યાં અતિક્રમણ કરાયું હતું.
આરોપીએ ગુરૂવારે યુવતી સાથે જબરજસ્તી કરી હતી. ઝાડુના પાછળના ભાગથી તેણે યુવતતી પર હૂમલો કરીને ઢોરમાર માર્યો હતો. બાદમાં શરીરના ઘા પર મરચાનો પાવડર નાંખી દીધો હતો.
બીજીતરફ યુવતીના પરિવારજનો આરોપીને ફાંસી આપવાની માંગમી કરી રહ્યા છે. આ ઘટના સંદર્ભે કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.. તેમણે એક્સ પર લખ્યું હતું કે ગુના જીલ્લાની દિકરી સાથે બર્બરતાની કબર વિચલિત કરી દેનારી છે. આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ જેથી કોઈ હેવાન આપણી બહેન દિકરીઓના સન્માન સાથે આવી હરકત ન કરે.
આ પણ વાંચો:‘4 સેકન્ડમાં 4ના મોત’, દીવાલ ધરાશાઈ થતાં સર્જાઈ દુર્ઘટના
આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત
આ પણ વાંચો:‘કેજરીવાલને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે’, AAPએ કહ્યું, CMને જીવનું જોખમ છે
આ પણ વાંચો:બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો લાલુ પરિવાર પર આકરો કટાક્ષ