China Reaction on Rajnath Singh: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં સરકારનું સ્ટેન્ડ રજૂ કર્યું. તેમણે કહ્યું કે સરહદ પર આપણા જવાનોએ અત્યંત બહાદુરી સાથે ચીની સૈનિકોને ન માત્ર જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ તેમને પાછા વળવા માટે મજબૂર પણ કર્યા. રક્ષા મંત્રીએ કહ્યું કે ન તો એક પણ ભારતીય સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો કે ન તો કોઈ શહીદ થયું. રક્ષા મંત્રીએ કહ્યું કે આ અથડામણ બાદ બંને પક્ષો તરફથી ફ્લેગ મીટિંગ થઈ હતી અને પછી બંને પક્ષો તેમના પહેલાના સ્થાને પાછા ફર્યા હતા. રક્ષા મંત્રીએ 12 વાગ્યે લોકસભામાં અને 12.30 વાગ્યા પછી રાજ્યસભામાં પોતાનું નિવેદન આપ્યું હતું. હવે આ મામલે ચીનની પ્રતિક્રિયા પણ આવી છે. ચીને કહ્યું છે કે હિંસક ઘટનાઓના અહેવાલો બાદ ભારત સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે. બંને પક્ષો તરફથી રાજકીય અને રાજદ્વારી સ્તરે મામલાઓનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે 9 ડિસેમ્બરની ઘટના બાદ સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અમારી તરફથી ચીનને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી છે અને સરહદ પર શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. હું ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે અમારી સેના અમારી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.
જણાવી દઈએ કે આ પહેલા તેમણે સવારે દિલ્હીમાં આ મામલે મહત્વની બેઠક કરી હતી. સીડીએસ જનરલ અનિલ ચૌહાણની સાથે ત્રણેય સેના પ્રમુખોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને તવાંગમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર પોતાની વાત રાખી હતી. તેમણે રક્ષા મંત્રીને સેનાની તૈયારીઓ વિશે પણ માહિતી આપી હતી. મીટિંગમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ મનોજ પાંડેએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપી હતી.
આ પણ વાંચો: CM Bhupendra Patel/સૌના ભાઈ હોવાની અનુભૂતિ કરાવતા ભુપેન્દ્ર ભાઈઃ દરેક મંત્રીઓની મુલાકાત લીધી