દેશમાં બની રહેલી દુષ્કર્મની ઘટનાઓમાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને આ જનધન્ય અપરાધ કરનારા આરોપીઓ પણ જાણે કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે અને તેમને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી એ સાબિત થઇ રહ્યું છે, આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં નરાધમે જે કર્યું છે તેને જોઇને તમે પણ સ્તબ્ધ થઇ જશો.
આ ઘટનાની વાત કરે તો, મહમદ રફીક બળાત્કાર કેસ માં જ જેલ માં બંધ હતો અને તેના પિતા નું મૃત્યુ થતા જેલ માથી પેરોલ ઉપર બહાર આવ્યો હતો અને બહાર આવતા જ ફરી બાળકીઓ ને ટાર્ગેટ કરી પોતાની હવસ સંતોસી હોવાનું બહાર આવ્યું છે.અમદાવાદના દાણીલીમડામાં છ વર્ષની બે બાળકીઓને એક અજાણ્યા ઇસમે બન્ને બાળાને ઢીંગલી આપવાની લાલચ આપી મકાનના શૌચાલયમાં લઇ જઇ બાળકીઓના ગુપ્ત ભાગે અડપલાં કરી એક બાળકી સાથે દુષ્કર્મ કરવાનું ચાલુ કરતા બાળકીઓએ બૂમાબૂમ કરી મૂકતા અજાણ્યો શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે સીસી ટીવી ફૂટેજની મદદથી બળાત્કારી ને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો : અટલ ટનલ/ ‘ગાયબ’ થઇ સોનિયા ગાંધીના નામ વાળી પ્લેટ, કોંગ્રેસે વિરોધ કરવાની આપી ચીમકી
આ ઘટનાની જાણ થતા જ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ યુવક જણાઇ આવ્યો હતો. જેથી પોલીસે યુવક જે દિશામાં ગયો ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજ નું પગેરું દબાવી કરેલી તપાસ બાદ મહંમદ રફીક ઉર્ફે કાલુની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તે સવારથી બાળકીઓ સાથે દુષ્કર્મના ઇરાદે નીકળ્યો હતો અને આજ અરસામાં બે બાળકીઓને જોતા જ તેની વાસના ભડકી ઉઠી હતી અને હવસ સંતોસવા અવાવરૂ જગ્યા એ લઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ