ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે ભરૂચ બેઠકને લઈને આમ આદમી પાર્ટીને ચેતવણી આપી છે. ફૈઝલ અહેમદ પટેલે ANI સાથે વાત કરતા કહ્યું કે જો ભારત ગઠબંધન હેઠળ ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરો અને તેમના પરિવારજનો તેનો વિરોધ કરશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પછાડવા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસ દિલ્હી, હરિયાણા બાદ ગુજરાતમાં આપ સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોને લઈને મંથન ચાલી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ 4 બેઠકોમાંથી દિલ્હી હાઈકમાન્ડના નિર્ણય બાદ આમ આદમીને પાર્ટીને એ બેઠકો આપશે. જો કે બંને પક્ષ વચ્ચે ભરૂચ બેઠકને લઈને ખેંચતાણ ચાલી રહી છે. આપ પાર્ટીને વિધાનસભામાં વધુ મત મળ્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતાનું પુત્ર અહમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ કહ્યું કે હુ માનું છું કે કોંગ્રેસ એક લોકતાંત્રિક પક્ષ છે અને INDIAનું જોડાણ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળે છે, તો તેનો ફાયદો માત્ર કોંગ્રેસ અને INDIA ગઠબંધનને થશે તેમ ફૈસલે ચેતવણી આપી. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લો જીતવો ખૂબ જ આસાન હશે, AAPની તાકાત માત્ર એક વિધાનસભા બેઠક પર છે… અમે માનીએ છીએ કે ભરૂચ જિલ્લો કોંગ્રેસ પાસે જવો જોઈએ… આથી જ હું આ ગઠબંધનને સમર્થન નહીં આપીશ. વધુમાં ફૈઝલે કહ્યું કે INDIA ગઠબંધન હેઠળ ભરૂચની સીટ આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો કોંગ્રેસ કાર્યકર્તા અને તેમના પરીવાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે.
ભરૂચ બેઠક સહિત ગુજરાતમાં AAPને લોકસભાની બે બેઠકો આપવા કોંગ્રેસ સંમત થાય તેવા સંકેતો મળી રહ્યા છે. પરંતુ ફૈઝલ અહેમદ પટેલે ભરૂચની બેઠકને લઈને આપ પક્ષને ચેતવણી આપી છે જ્યારે બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતની ભરૂચ સીટ AAP માટે છોડી શકે છે. અને આ બેઠકને લઈને AAP પોતાના ઉમેદવારની જાહેરાત પણ કરી ચૂકી છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ભરૂચથી ધારાસભ્ય ચૈત્રા વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત અહેમદ પટેલનું ગઢ મનાતા એવા ભરૂચની બેઠક પર તેમના પરીવારમાંનો સભ્ય ચૂંટણી લડી શકે છે. આ વખતે તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ લોકસભા ચૂંટણી માટે ભરૂચમાંથી ઉમેદવાર બન્યા હોવાનું કહેવાય છે.
બંને પક્ષો વચ્ચેની આ સમજૂતી મુજબ દિલ્હીની સાત બેઠકોમાંથી આમ આદમી પાર્ટી ચાર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાત અને હરિયાણામાં પણ બંને પક્ષો વચ્ચે સંકલન માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ-આપ તેમના ચૂંટણી જોડાણની જાહેરાત કરશે. તે જ સમયે, પંજાબમાં કોંગ્રેસ અને AAP બંને એકબીજા સામે ચૂંટણી લડશે. કોંગ્રેસના જવાબદાર સૂત્રોએ પુષ્ટિ કરી કે દિલ્હીમાં AAP સાથે ચાર-ત્રણ ફોર્મ્યુલા પર સમજૂતી થઈ ગઈ છે અને કહ્યું કે તેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હરિયાણા અને ગુજરાતની બેઠકો પર સંકલન અંગે અંતિમ નિર્ણય લેતાં જ સંકલનની જાહેરાત થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી
આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ
આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા