Loksabha Election 2024/ કોંગ્રેસે 46 ઉમેદવારો સાથે લોકસભા ચૂંટણીની ચોથી યાદી કરી જાહેર, વારાણસીમાં PM મોદી Vs અજય રાય

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ શનિવારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચોથી યાદી જાહેર કરી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Top Stories India Breaking News
Beginners guide to 94 1 કોંગ્રેસે 46 ઉમેદવારો સાથે લોકસભા ચૂંટણીની ચોથી યાદી કરી જાહેર, વારાણસીમાં PM મોદી Vs અજય રાય

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ શનિવારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચોથી યાદી જાહેર કરી છે. સુત્રોમાંથી મળતી ચર્ચા મુજબ યાદી બહાર આવી છે. દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી તેમાં 12 નામ MPના છે. દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયાને રતલામ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસે હવે એમપીમાં કુલ 22 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુના અને વિદિશા સહિત છ લોકસભા સીટો હાલમાં હોલ્ડ પર છે.

આ રાજ્યોના ઉમેદવારોની યાદી કરી જાહેર

અમેઠી અને રાયબરેલી હજુ પણ ઉમેદવારો ઉભા કરવાની રાહ જોઈ રહ્યા છે. ચોથી યાદીમાં પણ આ બે ખાસ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા નથી. કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 9 ઉમેદવારો ઉત્તર પ્રદેશ, 2 ઉત્તરાખંડ અને 12 ઉમેદવારો મધ્ય પ્રદેશમાંથી મેદાનમાં છે. આ સિવાય આસામની 1 સીટ, આંદામાનમાં 1 સીટ, ચંડીગઢમાં 1 સીટ, જમ્મુ અને કાશ્મીરમાં 2 બેઠકો, મધ્યપ્રદેશ 12 બેઠકો, મહારાષ્ટ્ર 4 બેઠકો, મણિપુર  2 બેઠકો, મિઝોરમમાં 1 સીટ, રાજસ્થાનમાં 3 બેઠકો, તમિલનાડુમાં 7 બેઠકો, ઉત્તર પ્રદેશમાં 9 બેઠકો, ઉત્તરાખંડમાં 2 બેઠકો, પશ્ચિમ બંગાળમાં 1 સીટ પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ચોથી યાદીના મુરતિયાઓ

કોંગ્રેસ BSPમાંથી દાનિશ અલીને લોકસભાની ટિકિટ આપી શકે છે . શનિવારે આવેલી ચોથી યાદીમાં પણ આને મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દાનિશ અલી રમેશ વિધુરી એપિસોડના કારણે ચર્ચામાં આવ્યો હતો. આ પછી બહુજન સમાજ પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા. દાનિશ અલીને અમરોહથી ટિકિટ મળી છે.આ સિવાય સહારનપુરથી ઈમરાન મસૂદ, ફતેહપુર સીકરીથી રામ નાથ સિકરવાર, કાનપુરથી આલોક મિશ્રા, ઝાંસીથી પ્રદીપ જૈન આદિત્ય, બારાબંકી એસસીથી તનુજા પુનિયા, દેવરિયાથી અખિલેશ પ્રતાપ સિંહ, સદનમાંથી અખિલેશ પ્રતાપ સિંહને ટિકિટ મળી છે. બાંસગાંવ એસસી પ્રસાદ, અજય રાયને વારાણસીથી ટિકિટ આપવામાં આવી છે. ઉદય શંકર હજારિકાને આસામના લખીમપુરથી ટિકિટ મળી છે. કુલદીપ રાય શર્માને આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કાવાસી લખમા છત્તીસગઢના બસ્તર (ST)થી મેદાનમાં છે, જ્યારે ચૌધરી લાલ સિંહ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી અને રમણ ભલ્લા જમ્મુથી મેદાનમાં છે.

કોંગ્રેસની ચોથી યાદીમાં રાજસ્થાનની ત્રણ બેઠકો ફાઈનલ કરવામાં આવી છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે હનુમાન બેનીવાલ ઈન્ડિયા બ્લોકમાં જોડાઈ ગયા છે. કારણ કે કોંગ્રેસે નાગૌર સીટ હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ને આપી છે. હનુમાન બેનીવાલ પોતે આ સીટ પરથી ચૂંટણી લડવાના છે. નાગૌર ઉપરાંત કોંગ્રેસે વધુ બે બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા છે. પાર્ટીએ જયપુર ગ્રામીણથી અનિલ ચોપરાને ટિકિટ આપી છે, જ્યારે ભજન લાલ જાટવને કરૌલી-ધોલપુર (SC) બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 25 લોકસભા સીટ છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજ્યમાં એકપણ સીટ મળી નથી. કોંગ્રેસે ચોથી યાદીમાં મહારાષ્ટ્રમાંથી ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમાં રશ્મિ શ્યામકુમાર બર્વે રામટેક (SC)થી ઉમેદવાર છે, જ્યારે વિકાસ ઠાકરે નાગપુરથી છે. ભંડારા ગોંદિયાથી ડૉ.પ્રશાંત યાદવરાવ પાડોલેને ટિકિટ આપવામાં આવી છે.

8 માર્ચે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં 39 ઉમેદવારોના નામ હતા, જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ સામેલ હતું. ચાર દિવસ પછી, 12 માર્ચે કોંગ્રેસે તેના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તે યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી 22 માર્ચે કોંગ્રેસે 57 ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી હતી. એટલે કે કોંગ્રેસે પ્રથમ ત્રણ યાદીઓ દ્વારા કુલ 139 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. હવે કોંગ્રેસે ચોથી યાદી સહિત કુલ 185 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી