ભારત ન્યાય જોડો યાત્રા/ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર તાકયુ નિશાન, ‘PM મોદી લક્ષદ્વિપ જાય છે તો મણિપુર કેમ નથી જતા’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી મોદીની લક્ષદ્વિપ મુલાકાતને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે ‘મહાન માણસને લક્ષદ્વિપ જવાનો સમય મળે છે તો મણિપુર કેમ ના ગયા’.

Top Stories India
Mantay 19 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર તાકયુ નિશાન, ‘PM મોદી લક્ષદ્વિપ જાય છે તો મણિપુર કેમ નથી જતા’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી મોદીની લક્ષદ્વિપ મુલાકાતને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે ‘મહાન માણસને લક્ષદ્વિપ જવાનો સમય મળે છે તો મણિપુર કેમ ના ગયા’. આ પ્રેસ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા એકવાર ફરી મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમ્યાન રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની વિગતો પણ આપી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને લઈને માહિતી આપતા જણાવ્યું કે આ યાત્રા 110 જિલ્લામાંથી પસાર થઈ 6700 કિલોમીટરનું અંતર કાપશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુર, ઈમ્ફાલથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, અરુણાચલ થઈને દેશના 15 રાજ્યોમાંથી પસાર થશે. અમે રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂઆત કરીશું.  ભારત જોડો ન્યાય યાત્રા મણિપુર, ઈમ્ફાલથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, અરુણાચલ થઈને દેશના 15 રાજ્યોમાંથી પસાર થશે અને અંતે મુંબઈ પહોંચશે.

આ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષે ફરી એકવાર મણિપુરનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે વડાપ્રધાન દરેક જગ્યાએ જઈ રહ્યા છે પરંતુ તેઓ મણિપુર કેમ નથી જઈ રહ્યા? ‘મણિપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની અને બનતી રહી છે. છતાં મોદીજી મણિપુર જવાના બદલે ક્યારેક દરિયામાં જાય છે તો ક્યારેક મંદિરો બની રહ્યા છે, ત્યાં જઈને ફોટા પડાવે છે, ક્યારેક કેરળમાં જાય છે. તેઓ દરેક જગ્યાએ જાય છે અને નવા કપડા પહેરીને પોતાનો ફોટો પડાવે છે. પરંતુ આ મહાન માણસ મણિપુર નથી જતા જ્યાં લોકો મરી રહ્યા છે, જ્યાં મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે.  શું મણિપુર દેશનો ભાગ નથી? તમે લક્ષદ્વીપ જાઓ અને પાણીમાં રહો તો શું તમે મણિપુર જઈને લોકોને સમજાવી શકતા નથી.

વધુમાં ખડગેએ કહ્યું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા સામાન્ય જનતાના પ્રશ્નો સાંભળી શકીએ અને દરેક વર્ગના લોકોની સમસ્યાને સાંભળી ઉકેલ લાવવા સરકારને રજૂઆત કરી શકીએ.  આ ન્યાય યાત્રા દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ  પર કાઢવામાં આવી રહી છે. કેમકે વિપક્ષ તરીકે અમે સંસદમાં દેશને લગતા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સરકારે અમને ચૂપ કરી દીધા. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલા માટે અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ એ દેશવાસીઓને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય આપવા માટે એક મજબૂત પગલું છે.