કોંગ્રેસે સૈનિક શાળાઓના કથિત ખાનગીકરણને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ સંદર્ભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સૈનિક શાળાઓ અંગેની કેન્દ્રની નવી નીતિને સંપૂર્ણ રીતે પાછી ખેંચવાની અને એમઓયુને રદ કરવાની માગણી કરી છે.
સૈનિક શાળાઓના ખાનગીકરણના સમાચાર પર રાષ્ટ્રપતિને લખેલા બે પાનાના પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભારતીય લોકતંત્રમાં સશસ્ત્ર દળોને રાજકારણથી દૂર રાખવામાં આવ્યા છે. પરંતુ હવે તેના પર પણ કેન્દ્રની પક્ષપાતી નીતિનો અમલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર હેઠળ સૈનિક શાળાઓની સારી પરંપરા તૂટી ગઈ છે. ખડગેએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સૈનિક શાળાઓનું ‘ખાનગીકરણ’ કરવાના કેન્દ્રના પગલા સામે પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું છે કે દેશમાં 33 સૈનિક શાળાઓ છે અને તે સંપૂર્ણપણે સરકારી ભંડોળ ધરાવતી સંસ્થાઓ છે, જે સંરક્ષણ મંત્રાલય (MOD) હેઠળની સ્વાયત્ત સંસ્થા સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) હેઠળ ચાલે છે.
ખડગેએ લખ્યું કે તમે એ વાતની પ્રશંસા કરશો કે સેનાને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય ઉચ્ચ લોકતાંત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય અનુભવોના આધારે લેવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે જ્યારે સૈન્ય હસ્તક્ષેપને કારણે સમગ્ર વિશ્વમાં સરકારો પડી રહી હતી ત્યારે ભારતમાં લોકશાહી સતત આગળ વધી રહી હતી. હું તમને જણાવવા માંગુ છું કે RTI તપાસ પર આધારિત એક અહેવાલ જણાવે છે કે તમારી સરકારે નવા PPP મોડલનો ઉપયોગ કરીને સૈનિક શાળાઓનું ખાનગીકરણ શરૂ કર્યું છે. જેના કારણે હવે 62% શાળાઓના માલિકી હક્ક ભાજપ-આરએસએસના નેતાઓ પાસે આવી ગયા છે.
ખડગેએ તેમના પત્રમાં એક મીડિયા અહેવાલને ટાંક્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવી સૈનિક શાળાઓ અંગે 40 સમજૂતી પત્રોમાંથી 62% પર એવી શાળાઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જે આરએસએસ-ભાજપ દ્વારા ચલાવવામાં આવે છે. અને સંઘ સાથે જોડાયેલા લોકો આ શાળા ચલાવે છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિને લખેલ પત્રમાં સૈનિક શાળાઓ અંગેની નવી નીતિને સંપૂર્ણ રીતે પાછી ખેંચવાની માંગ કરી હતી, એમ કહીને કે સૈનિક શાળાઓનું ખાનગીકરણ કરવાના કેન્દ્રના પગલાએ સશસ્ત્ર દળોના સ્વભાવ અને નૈતિકતા પર ઊંડો હુમલો કર્યો છે.
અગાઉ 2 એપ્રિલે કેન્દ્ર સરકારે આ મીડિયા રિપોર્ટને ફગાવી દીધો હતો. રક્ષા મંત્રાલયે કહ્યું, ‘સૈનિક શાળાઓને લઈને પ્રેસમાં કેટલાક લેખ પ્રકાશિત થયા છે. આ દાવાઓ પાયાવિહોણા છે. અમને 500 થી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી અત્યાર સુધીમાં અમે 45 શાળાઓની અરજીઓ મંજૂર કરી છે.
આ પણ વાંચો: Maharashtra Congress Leader/કોંગ્રેસ નેતા નાના પટોલેની કાર સાથે ટ્રક અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, ‘ઇરાદાપૂર્વક’ ટક્કરનો આક્ષેપ
આ પણ વાંચો: Haryana/હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ
આ પણ વાંચો:PM Modi- America/PM મોદીએ ચીન પર કહી મોટી વાત, સૌહાર્દપૂર્ણ સંબંધો ભારત સહિત વિશ્વ માટે પણ મહત્વના