Covid-19/ રાજ્યમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ દેખાઇ રહી છે. જો કે ગુજરાત માટે પણ રાહતનાં સમચાર છે….

Gujarat Others
police attack 51 રાજ્યમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 323
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,61,224
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 2
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 441
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 253368
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3469

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે કાબૂમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જો કે, પાછલા દિવસોની સરખામણીએ કોરોનાનાં કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ જોવામાં આવ્યો, પરંતુ વધારો સામાન્ય છે આવુ કહી શકાય. બાકી તો દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે પણ મક્કમતા સાથેનાં કોરોના મામલે સતત સારી પરિસ્થિતિ નોંધવામા આવી રહી છે. ગુજરાતમાં કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ દેખાઇ રહી છે. જો કે ગુજરાત માટે પણ રાહતનાં સમચાર છે. ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં દેખાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 323 નવા કેસ નોંધાયા છે.

વળી ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસની વાત કરીએ તો તેે આંક 2,61,224 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોનાં મોત નિપજ્યા છે. જો કે આ સમયગાળામાં 441 દર્દીઓને ડિસ્ચાર્જ્ પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,53,368 પર પહોંચી ગઇ છે. વળી રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસનો આંક 3,469 છે. ઉલ્લેખનીય છેે કે, પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોનાં પ્રમાણમાં અંશતઃ સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો