Covid-19/ બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ

દરેક પ્રકારની સાવધાની રાખવા છતા આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે.

World
Mantavya 74 બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ
  • USમાં કોરોનાનાં નવા 68 હજાર કેસ
  • USમાં 24 કલાકમાં 1993 લોકોનાં મૃત્યુ
  • બ્રાઝિલમાં 24 કલાકમાં નવા 74 હજાર કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 11.62 કરોડ પર
  • વિશ્વમાં હાલ 2.17 કરોડ એક્ટિવ કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે હવે કોરોનાની વેક્સીન આવ્યા બાદ અને સાવચેતીભર્યા પગલા લેવાના કારણે દુનિયામાં ઘણા દેશો આ વાયરસ ઘણી હદ સુધી કાબુ મેળવવામાં સફળ રહ્યા છે. દરેક પ્રકારની સાવધાની રાખવા છતા આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે.

Political / મહાશિવરાત્રીના દિવસે નંદીગ્રામથી મમતા દીદી ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ

આપને જણાવી દઇએ કે, કોરોનાથી સૌથી ખરાબ હાલ અમેરિકા ભોગવી રહ્યુ છે. અહી રોજ સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે અમેરિકામાં કોરોનાનાં નવા કેસ 68 હજાર સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી 24 કલાકમાં 1,993 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દુનિયાનો સૌથી તાકતવર દેશ કહેવાતો અમેરિકા આજે એક વાયરસ સામે નતમસ્તક છે. ત્યાર બાદ જો બ્રાઝિલની વાત કરીએ તો અહી કોરોનાનાં નવા 74 હજાર કેસ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વમાં હાલ 2.17 કરોડ કોરોનાનાં એક્ટિવ કેસ છે. વિશ્વભરમાં કુલ કોરોનાનાં કેસનો આંક 11.62 કરોડ પર પહોંચી ગયો છે.

New twist / વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, જ્યોતિષીઓએ 32 લાખ ખંખેરી લીધા, 9 સામે ગુનો દાખલ

વળી બીજી તરફ જો ભારતની વાત કરીએ તો અહી પણ રોજ કોરોનાનાં કેસ થોડા દિવસોથી સતત વધી રહ્યા છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં વાયુવેગે વધારો થવા લાગ્યો છે. ત્યારે 4 માર્ચનાં રોજ દેશમાં કોરોના વાયરસનાં 17 હજાર 407 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધીમાં 1,66,16,048 લોકોને રસી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ