ભારતમાં કોરોના વાયરસનું વધુ એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે. કેરળમાં કોવિડ-19ના સબવેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે માહિતી આપી છે. આ કેસોને લગતી કોઈપણ ગંભીર પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ ચલાવી રહ્યું છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે સીધો સંપર્ક દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. 8 ડિસેમ્બરે કેરળમાં કોરોના JN.1ના આ નવા સબવેરિયન્ટનો કેસ નોંધાયો હતો.
કેરળની 79 વર્ષીય મહિલા ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI)ના હળવા લક્ષણો બતાવી રહી હતી, જોકે તે પહેલાથી જ COVID-19થી સ્વસ્થ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં કેરળમાં આવો પહેલો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ છે. આ અંગે આરોગ્ય મંત્રી દ્વારા તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં આરોગ્ય સુવિધાઓમાં મોકડ્રીલ સહિત માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે તેને સ્ટોર કરવા અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી આરોગ્ય સેવાઓ કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર રહે.
ઉલ્લેખનીય છે કે,નિષ્ણાતો માને છે કે આ BA.2.86નું એક સબવેરિયન્ટ છે. દેશમાં JN.1ના કેટલાક કેસ છે. જોકે, ભારત દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ કારણોસર હાલમાં એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: લિબિયામાં મોટી દુર્ઘટના, જહાજ ડૂબી જવાથી 61 પ્રવાસીઓના મોત
આ પણ વાંચો: