- સુરતમાં યુવક-યુવતીની રૂમમાંથી મળી લાશ
- ઉધના વિસ્તારમાંથી મળી યુવક-યુવતીની લાશ
- પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાધો
- ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી
@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના ઉધના વિસ્તારમાં એક બંધ રૂમમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામી હતી લાશ મળી આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ૐ સાંઈ જલારામ નગર વિભાગ 2 માં એક બંધ મકાનમાંથી યુવક અને યુવતી ની લાશ મળી હતી. બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ તપાસ કરતાં દરવાજો બંધ જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો જેમાં યુવાનોનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.જ્યારે એક યુવતી ની લાશ જમીન પર પડેલી જોવા મળી હતી.
પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈ બંનેની લાશ તપાસતા યુવતીના માથાના ભાગે ઈજા પહોંચેલી જોવા મળી હતી. જ્યારે યુવાન લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.દરવાજો અંદરથી બંધ હતો જેને લઇને પોલીસે અનુમાન લગાવ્યું હતું કે યુવાને પહેલા યુવતીની હત્યા કરી બાદમાં પોતે આપઘાત કર્યો હોય શકે.
મૃતક યુવકનું નામ 28 વર્ષીય વિજય નારાયણ ગોહિલ હોવાનું સામે આવ્યું હતું જ્યારે મૃતક યુવતી નું નામ રિયા હોવાનું સામે આવ્યું હતું પ્રાથમિક દૃષ્ટિએ બને પ્રેમી પ્રેમિકા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે એફએસએલ ની ટીમ બોલાવી તમામ પુરાવા એકત્રિત કર્યા હતા હાલ પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ
આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ
આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા