દિલ્હીથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. અહીં બુજવાસમાં સ્થિત ફ્લાયઓવર નજીક સિલિન્ડર બ્લાસ્ટ થતા પતિ-પત્ની સહિત ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આ તમામના મૃતદેહ દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. આગ લાગવાનીની જાણ થતાં જ અસપાસના લોકોએ તેને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : રાજસ્થાનના CM અશોક ગેહલોતને થયો કોરોના, પહેલા પત્ની થયા હતા સંક્રમિત
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે વહેલી સવારે પશ્ચિમ દિલ્હીના કાપેશેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રિજવાસન પાસેથી પસાર થતી રેલ્વે લાઇનની નજીકના ખેતરમાં ઝૂંપડપટ્ટીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રાખેલ ગેસ સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. આગની તીવ્રતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 5 મિનિટના ટૂંકા ગાળામાં આખી ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ હતી. તે જ સમયે, 2 ફાયર એન્જિન્સ માહિતી મળતા ઘટના સ્થળે પહોંચ્યા, અને આગને કાબૂમાં લેવામાં આવી.
આ પણ વાંચો :105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને તેમની 95 વર્ષીય પત્નીએ 10 દિવસમાં કોરોના સામે જીતી જંગ
બ્રિજવાસન વિસ્તારમાં લગભગ 2 થી 3 ઝૂંપડપટ્ટીઓ હતી. બીજી ઝૂંપડપટ્ટીમાં આગ પહોંચી ગઈ હતી, જ્યાં 5 લોકો બચાવાયા હતા. આ દુર્ઘટનામાં મજૂર કમલેશ, તેની પત્ની અને તેમના 4 બાળકો, બે છોકરાઓ, બે છોકરીઓ, દાઝી જતા મોત નીપજ્યાં હતા, જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો :અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસનું કોરોનાને કારણે નિધન
આ પણ વાંચો : કોરોનાકાળમાં રસીની મદદ : અમેરિકા અને રશિયાથી પ્રથમ જથ્થો આવતીકાલ સુધીમાં પહોંચી જશે ભારત