Not Set/ ધાનેરા : પતિએ અગમ્ય કારણોસર પત્નિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પત્નિનું થયુ મોત

ધાનેરા તાલુકા સીયા ગામ જ્યાં પતિએ જ પોતાની પત્નીનું કાશળ કાઢી નાખ્યું છે. મણિગર ગોસ્વામી નામક યુવાને અગમ્ય કારણોસર પોતાની પત્ની રેખાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો જેમા તેનું મોત નિપજ્યુ હતુ. ગામમાં સંબંધોના થયેલ ખૂનની ચકચાર મચી જવા પામી છે. ગામ લોકોએ આરોપીને પકડી રાખી ને ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે […]

Gujarat
aa Cover aprijacp5miamlth06a56hh7m1 20171013145727.Medi ધાનેરા : પતિએ અગમ્ય કારણોસર પત્નિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પત્નિનું થયુ મોત

ધાનેરા તાલુકા સીયા ગામ જ્યાં પતિએ જ પોતાની પત્નીનું કાશળ કાઢી નાખ્યું છે. મણિગર ગોસ્વામી નામક યુવાને અગમ્ય કારણોસર પોતાની પત્ની રેખાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો જેમા તેનું મોત નિપજ્યુ હતુ. ગામમાં સંબંધોના થયેલ ખૂનની ચકચાર મચી જવા પામી છે. ગામ લોકોએ આરોપીને પકડી રાખી ને ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી અને આરોપી ને પકડી પાડ્યો હતો.

મૂર્તક મહિલાની લાશને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સિયા ગામે થયેલ પતિ દ્રારા પત્નીનાં ખૂનથી લોકોને આરોપી પતિ તરફે ફિટકાર લાગણી વ્યાપી જવા પામી છે. સંબંધોનું ખૂન કરનાર પતિને પોલીસે પકડીને આગળની કર્યાવહી હાથ ધરી છે. જો કે આવી ઘટનાઓ હવે દિવસેને દિવસે સામાન્ય બની ગઇ છે ત્યારે લોકોની માનસિકતામાં બદલાવ લાવવાની ખૂબ જરૂર લાગી રહી છે. સામાન્ય વાતમાં ઉગ્ર વલણ અપનાવી અને બાદમાં જીવનભર તે જ ભૂલને યાદ કરવી તેની જગ્યાએ જીવનમાં સમજણને પ્રધાન્ય આપવુ વધુ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.