Not Set/ આખરે કોણ છે રાણી મુખર્જીના ચહેરાની ચમકનું કારણ

નવી દિલ્લી, ચાર વર્ષ બાદ રાણી મુખર્જી ‘ હિંચકી ‘ ફિલ્મથી બોલીવુડમાં પાછી ફરી  છે. આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ સારી કમાણી કરી લીધી છે. દર્શકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. આ ફિલ્મમાં રાણીનો રોલ એક યુનિક રોલ છે. લગ્ન પછી રાણીએ જે રીતે એક ચેલેન્જીંગ રોલ કર્યો છે તેને લઈને સૌ જોઈ […]

Entertainment
Rani Mukherji at the launch of Star Plus Serial Saraswatichandra આખરે કોણ છે રાણી મુખર્જીના ચહેરાની ચમકનું કારણ

નવી દિલ્લી,

ચાર વર્ષ બાદ રાણી મુખર્જી ‘ હિંચકી ‘ ફિલ્મથી બોલીવુડમાં પાછી ફરી  છે. આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ સારી કમાણી કરી લીધી છે. દર્શકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. આ ફિલ્મમાં રાણીનો રોલ એક યુનિક રોલ છે.

લગ્ન પછી રાણીએ જે રીતે એક ચેલેન્જીંગ રોલ કર્યો છે તેને લઈને સૌ જોઈ તેના વખાણ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં રાણીએ હિરોઈનના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો.

આ ઈન્ટરવ્યુંમાં રાણીને તેના ચહેરાની ચમક પાછળનું  કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને આ ચમક તેની દીકરી આદીરાને લીધે છે તેવું કહ્યું હતું.હિંચકીને હાલ જે પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે તેની પાછળ આ એક કારણ પણ જવાબદાર છે. તેને કહ્યું કે બોલીવુડમાં એક એવી માન્યતા છે કે લગ્ન પછી પર્સનલ અને પ્રોફશનલ જિંદગીમાં તાલમળ કરવો અઘરો છે જયારે તમે એક માતા બનો છો. રાણીએ કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છુ કે આ બાબત પર  મારી દીકરી મારા માટે સૌથી મોટી પ્રેરણા છે. હાલ પણ તેના લીધે જ આટલી તાજગી મહેસુસ કરી રહી છુ.

વધુમાં રાણીએ કીધું કે, ઘણા લોકો એવા પણ હતા જે લોકો લગ્ન પછી પણ મને પહેલાની જેમ જ પ્રેરિત કરતા હતા. તે લોકોને મારા લગ્નના લીધે કોઈ તકલીફ નથી. મારી પર્સનલ લાઈફએ ક્યારેય માર કેરિયર પર કોઈ અસર નથી કરી.

રાણીના કહેવા પ્રમાણે હિરોને આ બધાથી કોઈ ફેર નથી પડતો. લગ્ન પછી પણ તેમનું કેરિયર ઘણું સારું ચાલે છે. માત્ર મહિલા માટે જ એવું ધારવામાં આવે છે કે લગ્ન પછી તેમનું કેરીયર પૂરું થઇ ગયું. હું આ વાતમાં જરાય સહમત નથી. હિરોઈન પણ લગ્ન પછી પોતાના કેરિયરમાં આગળ વધી શકે છે.