ટ્રાન્સજેન્ડર સલૂન: આજના સમયમાં, દેશમાં ટ્રાન્સજેન્ડરોને પણ તમામ કામ કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે જે સામાન્ય લોકોને આપવામાં આવે છે. દેશમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના સશક્તિકરણ માટે પણ વિવિધ પહેલ કરવામાં આવે છે. આજે આ સમુદાયના લોકો એવા ઘણા ક્ષેત્રોમાં મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે જ્યાં પહેલાના સમયમાં વિચારવું પણ મુશ્કેલ હતું.
તેથી, હવે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુંબઈમાં ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર સલૂન શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ટ્રાન્સજેન્ડર સલૂન કિન્નર સમુદાયમાંથી આવતી ઝૈનબે શરૂ કર્યું છે. આટલું જ નહીં આ સલૂનમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને ટ્રેનિંગની સાથે સાથે રોજગાર પણ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં ગુવાહાટી રેલવે પ્લેટફોર્મ પર ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર ટી સ્ટોલ ખોલવામાં આવ્યો હતો. ચાની દુકાન ગુવાહાટી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી છે. આપને જણાવી દઈએ કે ઓલ આસામ ટ્રાન્સજેન્ડર એસોસિએશને પણ ટ્રાન્સ ટી સ્ટોલ લગાવવા માટે સહકાર આપ્યો છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના સશક્તિકરણ માટે આ પહેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીની બેઠક વાયનાડમાં એપ્રિલમાં પેટાચૂંટણી યોજાઈ શકે
આ પણ વાંચો:રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાનો બનાવ લોકશાહી માટે કાળો દિવસઃ વિપક્ષ
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા ફક્ત કાગળ જ નહી, પણ તેમની ‘કિસ્મત’ પણ ફાડી
આ પણ વાંચો: ગાંધી પરિવાર કયા-કયા કેસોનો સામનો કરી રહ્યો છે તે જાણો
આ પણ વાંચો:માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ, લોકસભામાંથી થઇ વિદાય