Court/ પોલીસ સાથે ઘર્ષણ મામલે ગોપાલ ઈટાલીયાના જામીન મંજુર

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભાના એક દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ગઈ કાલે રાત્રે ધરપકડ કરી હતી અને આજે સવારે કોર્ટમા રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે જામીન માટે અરજી કરતાં કોર્ટે તેમના શરતી જામીન મંજુર કર્યાં હતાં. આજે કોર્ટમાં ગોપાલ ઇટલીયાને વીડિયો કોનફરન્સથી મેજિસ્ટ્રેટ સામે […]

Ahmedabad Gujarat
new project 7 1612866646 પોલીસ સાથે ઘર્ષણ મામલે ગોપાલ ઈટાલીયાના જામીન મંજુર

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભાના એક દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ગઈ કાલે રાત્રે ધરપકડ કરી હતી અને આજે સવારે કોર્ટમા રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે જામીન માટે અરજી કરતાં કોર્ટે તેમના શરતી જામીન મંજુર કર્યાં હતાં. આજે કોર્ટમાં ગોપાલ ઇટલીયાને વીડિયો કોનફરન્સથી મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ગોપાલ ઇટલીયાને 10 હજારના શરતી જમીન આપ્યા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 3 જાન્યુઆરીએ શહેરના નારણપુરા વિસ્તારના ભૂમિ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. આ સભા માટે જરૂરી પરવાનગી હોવા છતાં પોલીસે પાર્ટીના નેતાઓ સાથે બળ પ્રયોગ કરતાં પોલીસ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. પોલીસે ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા આતિશીની અટકાયત કરવાની તજવીજ કરતાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મોટી બોલાચાલી બાદ પોલીસે સભા કરવાની મંજુરી આપી હતી. આ સભા પૂર્ણ થયાના બીજા દિવસે પોલીસે શહેર પ્રમુખ અમજદ ખાન, ગિરીશ રાવલ અને મિહિર પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ગોપાલ ઈટાલિયાને પણ આરોપી તરીકે ગણાવ્યો હતો. પોલીસે તમામની સામે જાહેરનામા ભંગ, પોલીસ ઉપર હૂમલો, પોલીસની કામગીરીમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આમ આદમી પાર્ટીના વકિલ જયેન્દ્ર અભવેકરે કોર્ટમાં રજુઆત કરી હતી કે પોલીસે સત્તાધીશ પાર્ટીના કહેવાથી ફરિયાદ નોંધી છે. બનાવના એક દિવસ બાદ પૂર્વ આયોજિત કાવતરુ રચીને ફરિયાદ કરી છે. અમદાવાદના નારણપુરામાં યોજાયેલી સભામાં પોલીસ સાથે કોઈ હાથા પાઈ થઈ નથી. સભાની પરવાનગી હોવા છતાં પોલીસે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ રોકવા બળનો પ્રયોગ કર્યો હતો. દેશમાં દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરીને કાર્યકરોને ડરાવવાની કોશિષ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…