ગુજરાત રાજ્યમાં આવેલું પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં દર પૂનમે મેળો ભરાય છે, જેમાં શ્રદ્ધાળુઓની ભીડ ભગવાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે લોકો દુર દુરથી પગે ચાલીને આવે છે અને ભગવાનના દર્શન કરે છે. શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં તકલીફ ના પડે એ માટે એટી નિગમએ એક વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.
એસીટી નિગમે શ્રદ્ધાળુઓ માટે ડાકોરના મેળામાં વધારાની 400 બસની વ્યવસ્થા કરાઇ છે. હોળી-ધુળેટીના તહેવારને લઇને પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ છે. ઉલ્લેખનીય છે કે હોળી-ધુળેટીના પર્વ માટે રોજની વધારાની 100 બસ દોડાવાશે. દાહોદ, પંચમહાલ, ઝાલોદ માટે વધારાની બસ દોડાવાશે. સુરતથી રોજની વધારાની 50 બસ દોડાવાશે.